બ્રિટનની કોર્ટે નિરવ મોદીએ કરેલી જામીન અરજી રદ કરી છે. ભારતમાં પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીને આચરીને વિદેશ ફરાર થયેલા નિરવ મોદીએ લંડનની કોર્ટમાં ત્રીજી વાર જામીન માટે અરજી કરી હતી.
જામીન અરજી કરતા નિરવ મોદીએ કહ્યું કે, જામીન રાશી વધારીને બે ગણી કરીને 20 લાખ પાઉન્ડ કરી દેવામાં આવે. જામીન મળ્યા બાદ હું ચોવીસ કલાક મારા લંડનવાળા ફ્લેટમાં જ રહીશ. નિરવ મોદીએ કોર્ટમાં દલીલ કરી કે, વૈડ્સવર્ષ જેલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેના આધારે મને જામીન મળવા જોઈએ.
નિરવ મોદી જામીન માટે કોઈ પણ શરતનું પાલન કરવા માટે તૈયાર છે. તો મેજીસ્ટ્રટે નિરવ મોદીની અપીલ રદ કરતા કહ્યું કે, 20 લાખ પાઉન્ડની રકમ ચિંતાઓથી મોટી નથી કે જામીન આપ્યા બાદ નિરવ મોદી આત્મસમર્પણ કરવા માટે તૈયાર થશે કે કેમ.