1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં રીટેલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં છૂટ સહિત અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. આટલું જ નહીં, એક રિપોર્ટ મુજબ, એફોર્ડેબલ હાઉસિંગની શરતોમાં પણ છૂટછાટ મળી શકે છે.
ઘર ખરીદનારાઓ માટે સારાં સમાચાર
રીટેલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા થશે આ ફેરફાર
એફોર્ડેબલ હાઉસિંગની શરતોમાં મળશે છૂટ
આ બજેટ હાઉસિંગ સેક્ટર માટે સારું સાબિત થઈ શકે છે. બજેટમાં રીટેલ હાઉસિંગ માટે છૂટ આપવાની જાહેરાત થઈ શકે છે. રીટેલ હાઉસિંગની બેઝિક સુવિધાઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવો શક્ય છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મેળવવાથી શું ફાયદો થશે
સૂત્રોના જણાવ્યા મુજબ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી સસ્તા દરે લોન લેવામાં મદદ મળશે. નાના અને મધ્યમ મકાનોના ભાડા પર ટેક્સ દર ઘટાડી શકાય છે.
માત્ર ભાડા હેતુ માટે બનાવાયેલ પ્રોજેક્ટ માટે કરમાં છૂટ મળી શકે છે.
રીટેલ પ્રોજેક્ટ માટે વિદેશી રોકાણ એટલે કે, એફડીઆઈની શરતોમાં છૂટ મળી શકે છે.
આવકવેરા કાયદાની કલમ 80 આઈબીએ હેઠળ કર મુક્તિનો અવકાશ વધારી શકાય છે.
સેક્શન 80 આઈબીએ હેઠળ અફોર્ડેબલ હાઉસિંગની કિંમત અને સાઈઝમાં વધારો કરી શકાય છે.
સેક્શન 80 આઈબીએ હેઠળ 100 ટકા કપાત ઉપલબ્ધ છે.
સૂત્રો મુજબ, હાઉસિંગ મંત્રાલયે નાણાં મંત્રાલયને બજેટ અંગે આપેલી ભલામણો પર ગંભીરતાથી વિચારણા કરી છે.
2022 સુધીમાં હાઉસિંગ ફોર ઓલની યોજના
કેન્દ્ર સરકારે 2022 સુધીમાં બધાને મકાન આપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. આ માટે સરકારી કંપની એનબીસીસીને લેન્ડ મેનેજમેન્ટ એજન્સી બનાવવામાં આવી છે. એનબીસીસી પીએસયુની જમીન વેચશે. આ માટે તેને વેચાણ પર અડધો ટકા ફી મળશે. જોકે, તે 1 કરોડથી વધુ ફી લઈ શકશે નહીં. કેટલીક બેંકોનું કહેવું છે કે, સરકારે સસ્તા મકાનો ઉપરાંત આ જમીનનો મિશ્ર ઉપયોગ કરવો જોઇએ.