પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. આ બજેટ પર ખાસ કરીને પગારદાર કર્મચારીઓ ઘણી આશા રાખીને બેઠા છે. આ આશા રાખવાનું ઘણું મોટુ કારણ છે. કેમ કે, માસિક 21 હજારથી વધારે કમાનારો ખાનગી કે સરકારી કર્મચારી ટેક્સના દાયરમાં આવી જાય છે. પરંતુ લાખો રૂપિયા કમાનારા ખેડૂતો,નાના દુકાનદારો પર ટેક્સનો કોઈ બોજ નથી.
પગારદારકર્મીઓની બજેટ પર આશા
એમનો સવાલ ઘણો વાજબી છે
મોટો બોજ વેતનભોગીઓ પર જ કેમ?
પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે અને આ બજેટ પર ખાસ કરીને પગારદાર કર્મચારીઓ ઘણી આશા રાખીને બેઠા છે. આ આશા રાખવાનું ઘણું મોટુ કારણ છે. કેમ કે, માસિક 21 હજારથી વધારે કમાનારો ખાનગી કે સરકારી કર્મચારી ટેક્સના દાયરમાં આવી જાય છે. પરંતુ લાખો રૂપિયા કમાનારા ખેડૂતો, નાના દુકાનદારો અને બીજા વેપારીઓ પર ટેક્સનો કોઈપણ પ્રકારે બોજ નથી. આપનું ધ્યાન કદાચ એ બાબત પર નહીં ગયું હોય કે, એક વ્યક્તિની કમાણી પર 30 ટકા ટેક્સ લાગે છે જ્યારે કરોડો રૂપિયાની કમાણી કરનારી કંપનીઓ પાસેથી માત્ર 22 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.
પગાર ન મેળવતા કરદાતા સરેરાશ 25,753 રૂપિયા ટેક્સ ભરે છે
વર્ષ-2018-19માં બજેટ વખતે તત્કાલિન નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં જે વાત કહી હતી તે વાત 2020માં યાદ આવી રહી છે. નાણામંત્રીએ તે વખતે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, પગાર ન મેળવતા કરદાતા સરેરાશ 25,753 રૂપિયા ટેક્સ ભરે છે. જ્યારે વેતનભોગી કર્મચારી સરેરાશ 76,306 રૂપિયા કર ચૂકવે છે. આ દ્રષ્ટીએ બિનપગારી આવક ધરાવતા લોકો કરતાં પગારદાર કર્મચારીઓ સરેરાશ 3 ગણો વધારે કર ચૂકવે છે. તે વખતે નાણામંત્રીએ કહ્યુ હતું કે, પગાર નહી મેળવતા 70 ટકા લોકો જો ઈમાનદારીથી ટેક્સ ચૂકવે તો સરકારની કમાણીમાં દરવર્ષે 50 હજારકરોડ રૂપિયાનો વધારો થાય. નાણામંત્રી નિર્મલા સીતારમણે એ વાત સ્વીકારી હતી કે સિસ્ટમ જ એવી બની ગઈ છે જેમાં ઈનામદારને જ સજા ભોગવવી પડે છે.
ખેડૂતો લાખો રૂપિયા કમાય છે છતાં નથી ચૂકવવો પડતો ટેક્સ
પગાર મેળવતા એટલેકે વેતનભોગી વર્ગને એ માટે આ ટેક્સ સિસ્ટમ સામે વાંધો છે કે, અનેક એવી સેવાઓ છે જે ટેક્સના દાયરાથી બહાર છે. કોઈ ખેડૂત જો અમીર છે, મહિને સરેરાશ લાખો રૂપિયા કમાય છે છતાં તેને કર ચૂકવવો પડતો નથી. એક RTI દ્વારા મળેલી માહિતિ પર એક નજર નાખીએ તો વર્ષ -2012માં 8 લાખ કરદાતાઓએ રિટર્નમાં ખેતીની કમાણીને દાખલ કરી હતી...તેમણે રિટર્નમાં દાખલ કરેલી એ ખેતીની કમાણી લાખો અને કરોડોમાં હતી. મંદીના સમયમાં પણ ડોક્ટર, વકીલ, કોચિંગ સંચાલક પર કોઈ અસર થતી નથી...છતાં આ વ્યવસાયકારોને ટેક્સ ભરવો પડતો નથી.
નોર્વેમાં 100 ટકા લોકો ટેક્સ ભરે છે
વેતનભોગી કર્મચારીઓની આ માગણી લાંબાસમયથી છે.પરંતુ કોઈપણ સરકારે વેતનભોગી કર્મચારીઓની આ માગણી પર ધ્યાન આપવાનું જરૂરી સમજ્યું નથી.. શું વોટબેંકના કારણે તો આવુ તંત્ર નથી ગોઠવાઈ ગયુંને? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે, કેમકે ભારતમાં માત્ર 7 ટકા મતદાતાઓ જ ઈનકમ ટેક્સ ભરે છે, ટેક્સ ભરનારા 7 % લોકોનો અવાજ સરકારને નુકસાન ન કરી શકે તે વાત સરકાર જાણે છે 7% કરદાતા માટે 73% મતદારોને નારાજ કરવાની સરકારને હિંમત નથી આપને એ વાત પણ જણાવી દઈએ કે, નોર્વેમાં 100 ટકા લોકો ટેક્સ ભરે છે...તો અમેરિકામાં 70 ટકા લોકો ટેક્સ ભરે છે...કદાચ એટલા માટે જ એ દેશોમાં સરકાર કરદાતાઓની માગણીઓ પર ગંભીરતાથી ધ્યાન આપે છે.
એ પણ એક જુદા પ્રકારની વિડંબના છે કે, આપણા દેશમાં આટલો વધારે ટેક્સ ચૂકવવા છતાં દરેક સેવા માટે અલગથી પૈસા ચૂકવવા પડે છે. પીવા માટે સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા, સડક અને આરોગ્યથી લઈને અનેક સેવાઓ માટે અહીં અલગથી પૈસા ચૂકવવા પડે છે...શું સરકારે નવા બજેટમાં આ બધી બાબતો પર વિચાર કર્યો હશે...?