કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે સરકારી બેંકના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. કોરોના સંકટના કારણે પ્રભાવિત અર્થવ્યવસ્થાને કેવી રીતે પાટે ચઢાવી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા કરાશે.
કોરોના મહામારીને લઇ અર્થવ્યવસ્થાને ભારે ફટકો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બોલાવી બેઠક
સરકારી બેંકોના CEO સાથે કરશે બેઠક
મળતી માહિતી પ્રમાણે બેઠકમાં લોન લેનારાઓને વ્યાજ દરમાં ઘટાડાનો લાભ વધારવાની અને લોનના હપ્તાઓ ચૂકવવા માટે બેન્કો વતી વિસ્તરણ આપવાની યોજનાની સમીક્ષા પણ કરવામાં આવશે.
બેન્કોને વધારાની મૂડીની જોગવાઈ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે
રિવર્સ રેપો દ્વારા બેન્કોને વધારાની મૂડીની જોગવાઈ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે, આ ઉપરાંત, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને નાના નાણા સંસ્થાઓ માટે લક્ષિત લાંબા ગાળાના રેપો ઓપરેશન પ્રગતિ અને કોવિડ -19 કટોકટી લોન સુવિધા હેઠળ લોનની ફાળવણીની પણ સમીક્ષા કરવામાં આવશે.
કટોકટીની લોન સુવિધા હેઠળ, લોણ લેનારાઓ હાલના ભંડોળ આધારિત કાર્યકારી મૂડીના મહત્તમ 10 ટકા સુધી લોન મેળવી શકે છે. તેની મહત્તમ મર્યાદા 200 કરોડ છે. લોકડાઉન શરૂ થયા પછી જાહેર ક્ષેત્રની બેંકોએ એમએસએમઇ ક્ષેત્ર અને અન્ય કંપનીઓ માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 42,000 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે.
હપ્તાઓની ચુકવણીથી રાહત યોજના હેઠળ 2.2કરોડ લોનધારકોને લાભ થયો
નાણાંમંત્રીએ કહ્યું હતું કે રિઝર્વ બેંકે જાહેર કરેલા ત્રણ મહિના માટે લોનના હપ્તાઓની ચુકવણીથી રાહત યોજના હેઠળ 2.2કરોડ લોનધારકોને લાભ થયો છે. સીતારામને એમ પણ કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોએ માર્ચ-એપ્રિલ દરમિયાન 5.66 લાખ કરોડની લોન મંજુર કરી હતી. લોકડાઉન હટાવ્યા પછી તરત જ તેમનું વિતરણ શરૂ થશે, જે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે