નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે 3 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનું એલાન કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી અઠવાડિયા સુધીમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે.
દેશમાં લૉકડાઉનનો માહોલ
નિર્મલા સિતારમણ મોટા પેકેજનું કરી શકે છે એલાન
આપને જણાવી દઇએ કે, પ્રથમ ચરણમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી ચાલ્યુ, ત્યારબાદ વધારીને 3 મે સુધી લઇ જવામાં આવ્યું અને હવે આગામી 17 મેના રોજ ત્રીજા તબક્કાનું લૉકડાઉન પૂર્ણ થવાની તૈયારીમાં છે.
અર્થ વ્યવસ્થાને પાટે ચડાવવા લેવાઇ શકે છે નિર્ણય
ત્યારે આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક ગતિવિધીઓ સંપૂર્ણ રીતે બંધ છે. પરંતુ મે મહીનાની શરૂઆતમાં કેટલાક ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. સરકાર દેશની અર્થ વ્યવસ્થાને પાટે ચડાવવા માટે આવો નિર્ણય લઇ શકે છે.
નાના ઉદ્યોગોને મદદ કરવા માગે છે સરકાર
મનીકોન્ટ્રોલે બિઝનેસ સ્ટાન્ડર્ડના હવાલાથી જણાવ્યું છે કે આ રાહત પેકેજ નાણાકીય વર્ષ 2021 માટે સરકારના ઉધાર 7.8 લાખ કરોડથી વધારીને 12 લાખ કરોડ કરવાના સરકારના નિર્ણય સાથે સરકાર પાસે જે પૈસા આવશે તેના આધાર પર રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. આ રાહત પેકેજનું બીજું કારણ એવી પણ અસમંજસ છે કે કોરોના સંકટ હાલ કેટલું લાંબું અને ઘેરાયેલું હોઇ શકે છે. સરકાર ઇકોનોમીને ધીમે-ધીમે ખોલવાની સાથે નાના ઉદ્યોગોને મદદ કરવા માગે છે.
નોકરીયાતો માટે મોટી જાહેરાત કરી શકે છે
રોયટર્સના જણાવ્યા પ્રમાણે આગામી રાહત પેકેજમાં દેશના ગરીબ લોકોને સાથે એવા લોકોને પણ રાહત આપવાની સંભાવના જણાઇ આવે છે જેમની નોકરી ચાલી ગઇ છે. સાથે જ ટેક્સ છૂટ તથા અન્ય ઉપાયો દ્વારા નાની-મોટી કંપનીઓને પણ રાહત આપવામાં આવી શકે છે. 2 ઉચ્ચ અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે આ જાણકારી આપી હતી.
1,MSME માટે વર્કિગ કેપિટલ લોન સ્કીમનું એલાન થઇ શકે છે.
2, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ(DBT)નો વિસ્તાર થઇ શકે છે. તેના હેઠળ સામાન્ય લોકોના ખાતામાં પૈસા આવી શકે છે.
3, મનરેગા હેઠળ મળનારી પેમેન્ટમાં વધારો કરવામાં આવી શકે છે.
4,PM-KISAN Scheme હેઠળ નવી જાહેરાતો થઇ શકે છે.