નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જાણકારી આપી છે કે જો લોનને રિજેક્ટ કરતી વખતે બેંક કોઇ મજબૂત કારણ જણાવતું નથી તો એના માટે સીધી સરકારને ફરિયાદ કરવાની સુવિધા આપવામાં આવશે. એના માટે એક ખાસ કેન્દ્કની જાહેરાત કરવામાં આવશે.
કોઇ પણ બેંક કોઇ કારણ વગર MSMEને લોન આપવા માટે ના પાડી શકે નહીં
આવી પરિસ્થિતિમાં કોઇ પણ MSME ઇમેલ દ્વારા પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે
આ ફરિયાદની એક કૉપી બેંક મેનેજરને પણ મોકલવામાં આવશે
હવે જો કોઈ કારણ વગર કોઈ બેંક માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSEM)ને લોન માટે પાડી શકશે નહીં. જો કોઇ બેંક કોઇ મજબૂત કારણથી MSMEને લોન આપવાની ઇન્કાર કરે છે તો એમના માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે. એના માટે નાણા મંત્રાલયે એક ખાસ પ્રકારનું કેન્દ્ર બનાવવા જઇ રહી છે. જ્યાં આવી પરિસ્થિતિમાં કોઇ પણ MSME ઇમેલ દ્વારા પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે. ત્યારબાદ આ ફરિયાદની એક કૉપી બેંક મેનેજરને પણ મોકલવામાં આવશે.
જલ્દી બનાવવામાં આવશે વિશેષ કેન્દ્ર
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ માટે જાણકારી આપતા કહ્યું છે કે કોઇ પણ બેંક કોઇ કારણ વગર MSMEને લોન આપવા માટે ના પાડી શકે નહીં. એમને આગળ કહ્યું કે આ વિશેષ કેન્દ્ર માટે જલ્દી જાહેરાત કરવામાં આવશે. નાણામંત્રીએ શનિવારે જણાવ્યું કે દેશમાં વિદેશી ચલણ ભંડાર અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર છે. એમને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ભારત એક વખત ફરીથી 8 ટકા વૃદ્ધિ દર પર પાછો પહોંચી જશે. કેન્દ્ર સરકાર એના માટે સતત પ્રયત્ન કરી રહી છે.
LTCG પર કહી આ વાત
લૉન્ગ ટર્મ કેપિટલ ટેક્સને લઇને એક પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે એના માટે મંત્રાલય એક વર્ષ વધારે રાહ જોશે. જણાવી દઇએ કે બજેટ પહેલા સરકાર પાસેથી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે એમને LTCGથી રાહત મળી શકે છે. પરંતુ નાણામંત્રીએ બજેટ ભાષણમાં એવી કોઇ જાહેરાત કરી નહતી.
ડિવિડેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ પર પણ સ્પષ્ટીકરણ
જો કે એ દરમિયાન એમને ડિવિડેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સને લઇને સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે હવે કંપનીઓને કોઇ DDT આપવો પડશે નહીં, માત્ર રોકાણકારોને જ ડિવિડેન્ડ ટેક્સ આપવો પડશે.
રાજ્યોના ફંડમાં કાપનો કોઇ પ્લાન નહીં
નાણા મંત્રીએ બીજી એક વાત પર સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે કેન્દ્રની તરફથી રાજ્યોને જારી કરવામાં આવતા ફંડમાં કાપ કરવાનો કોઇ પ્લાન નથી.