કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રોકાણકારોને આખી દુનિયામાં ભારતથી વધારે સારી કોઇ જગ્યા નહીં મળે, જ્યાં લોકતંત્રમાં વિશ્વાસ કરવા સાથે જ મુડીવાદનું સન્માન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) હેડક્વાર્ટરમાં વાતચીતના એક સત્રમાં સીતારમણે દુનિયાભરમાં રોકાણકારોને આશ્વાસન આપ્યું કે સરકાર નવા સુધારા લાવવા પર સતત કામ કરી રહી છે.
નિર્મલા સીતારમણે કહ્યું- રોકાણકારોને ભારતથી વધારે સારી જગ્યા ક્યાંય નહીં મળે
નિર્મલા સીતારમણે કહ્યું- સરકાર નવા સુધારા લાવવા સતત કામ કરી રહી છે
એમણે બુધવારે કહ્યું, આ (ભારત) આજે પણ સૌથી ઝડપી વિકસિત થઇ રહેલી અર્થવ્યવસ્થા છે. તેની પાસે ઉત્કૃષ્ટ કુશળતા વાળી શ્રમશક્તિ અને એવી સરકાર છે જે સુધારના નામ પર જરુરી વસ્તુઓ અને આ તમામથી ઉપર લોકતંત્ર અને વિધિના શાસન પર સતત કામ કરી રહી છે.
રોકાણકાર ભારતમાં રોકાણ કેમ કરે, આ સવાલના જવાબમાં સીતારમણે કહ્યું કે ભલે જ કોર્ટ વ્યવસ્થામાં થોડો વિલંબ થઇ જતો હોય પરંતુ ભારત એક પારદર્શી અને મુક્ત સમાજ છે. એમણે કહ્યું કે ભારતમાં કાનૂન વ્યવસ્થાની સાથે કામ થાય છે. અને ખુબ જ ઝડપી સુધાર થઇ રહ્યા છે. વિલંબોને ઓછા કરવાની દિશામાં પણ.
ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ સંઘોના સંઘ (ફિક્કી) અને અમેરિકા ભારત રણનીતિક અને ભાગીદારી ફોરમ દ્વારા સંયુક્ત રૂપે આયોજિત એક કાર્યક્રમમાં એમણે કહ્યું, તેથી આપને ભારત જેવો લોકશાહી પસંદ કરતું અને મુડીવાદનું સન્માન કરનાર સ્થાન ક્યાંય નહીં મળે.