સંશોધિત નાગરિકતા કાયદાને લઇને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તેના દ્વારા અમે કોઇની પણ નાગરિકતા છિનવી રહ્યા નથી પરંતુ આપી રહ્યા છીએ. ચેન્નઇમાં એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રીએ કહ્યું, આ સંશોધન (નાગરિકતા સંશોધન કાયદો) લોકોને વધુ યોગ્ય જીવન આપવા માટેનો એક પ્રયાસ છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે કોઇની નાગરિકતા છિનવી રહ્યા નથી પરંતુ આપી રહ્યા છીએ
2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 566 મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવામાં આવી
1964થી 2008 સુધી શ્રીલંકાથી આવેલા 4,00,000થી વધારે તમિલોને ભારતીય નાગરિકતા આપવામાં આવી
તેઓએ કહ્યું કે અમે કોઇની નાગરિકતા છિનવી રહ્યા નથી, અમે તેમને નાગરિકતા આપી રહ્યા છીએ. તેઓએ આ દરમિયાન ગત વર્ષોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લોકોને પ્રદાન કરવામાં આવેલી નાગરિકતાના આંકડાઓ પણ લોકો સમક્ષ રાખ્યા.
નિર્મલા સીતારમણે કહ્યં કે, ગત 6 વર્ષોમાં 2838 પાકિસ્તાની શરણાર્થીઓ, 914 અફઘાનિસ્તાની શરણાર્થીઓ, 172 બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 1964થી 2008 સુધી શ્રીલંકાથી આવેલા 4,00,000થી વધારે તમિલોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
FM: In last 6 yrs,2838 Pak refugees,914 Afganistani, 172 Bangladeshi refugees were given Indian citizenship,which include Muslims too.From 1964-'08 over 4,00,000 Sri Lankan Tamils were given citizenship.566 Muslims from Pak, Bangladesh,Afghanistan were given citizenship till '14. pic.twitter.com/KrgyUPN6d2
નાણામંત્રીએ જણાવ્યું કે 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 566 મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવામાં આવી. તેઓએ અદનાન સામી અને બાંગ્લાદેશથી આવેલી લેખિકા તસ્લીમા નસરીનનું ઉદાહરણ રજૂ કરતા કહ્યું કે 2016થી 18ની વચ્ચે 391 અફઘાન મુસ્લિમ અને 1595 પાકિસ્તાની પ્રવાસીઓને નાગરિકતા આપવામાં આવી છે.
જોકે, નિર્મલા સીતારમણે દેશના અલગ-અલગ ભાગોમાં રહી રહેલા પાકિસ્તાની અને શ્રીલંકાઇ શરણાર્થીઓની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી. તેઓએ કહ્યું કે, જે લોકો પૂર્વી પાકિસ્તાનથી આવ્યા હતા તેઓ દેશના વિભિન્ન શિવિરોમાં વસ્યા, તેઓ હજુ પણ ત્યાં છે. હવે તેઓને 50-60 વર્ષ થઇ ગયા છે. આ પ્રકારની સ્થિતિ શ્રીલંકાના શરણાર્થીઓની સાથે છે.