નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આજે 2000 રૂપિયાની નોટને લઈને મોટો ખુલાસો કર્યો છે.તેમણે કહ્યું કે ATMમાં 2000 રૂ.ની નોટો ન ભરવા માટે બેંકોને કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નથી.
નાણામંત્રી સીતારમણે લોકસભામાં કર્યો ખુલાસો
કહ્યું 2000રૂ.ની નોટોને લઈને બેંકો માટે કોઈ ગાઈડલાઈન નથી
કેન્દ્ર સરકારની લોન અંગે પર સંસદમાં આપ્યો ઉત્તર
2000 રૂપિયાની નોટોને લઈને મોટો અપડેટ સામે આવ્યો છે. આ નોટને લઈને દેશનાં નાણામંત્રીએ ખુલાસો કરતાં સંસદમાં કહ્યું કે ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે ATMમાં 2000રૂપિયાની નોટ ભરવા કે ન ભરવા અંગે બેંકોને કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નથી.
No instructions given to banks on loading Rs 2000 notes in ATMs: FM Nirmala Sitharamanhttps://t.co/ZFKoBterXR
તેમણે કહ્યું કે લેન્ડર્સ પોતે જ નક્કી કરે છે કે તેમને કેશ વેંડિંગ મશીનોમાં કેટલા રૂપિયાની નોટોને લોડ કરવું છે. ભારતીય રિઝર્વ બેંકની વાર્ષિક રિપોર્ટ અનુસાર માર્ચ 2017નાં અંત સુધી અને 2022 માર્ચનાં અંત સુધીમાં 500 રૂપિયા અને 2000 રૂપિયાનાં મૂલ્યવર્ગનાં બેંક નોટોનું કુલ મૂલ્ય ક્રમશ: 9.512 લાખ કરોડ રૂપિયા અને 27.057 લાખ કરોડ રૂપિયા હતું.
બેંકોને નથી આપવામાં આવી કોઈ ગાઈડલાઈન
નાણામંત્રી નિર્મલા સીતારમે લોકસભામાં એક લેખીતમાં ઉત્તર આપતાં કહ્યું કે ATM માં 2000 રૂપિયાની નોટ ન ભરવા માટે બેંકોને કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નથી. બેંક છેલ્લા ઉપયોગ, કંઝ્યૂમરની જરૂરિયાત, સીઝનલ ટ્રેંડ વગેરેનાં આધાર પર એટીએમમાં અમાઉન્ટ અને કઈ નોટોની વધારે આવશ્યકતા છે તેનું અસેસમેન્ટ કરે છે.
કેન્દ્ર સરકારની લોન અંગે પણ આપ્યો ઉત્તર
એક અન્ય પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકારની લોન/લાયબિલિટીઝની કુલ એમાઉન્ટ લગભગ 155.8 લાખ કરોડ રૂપિયા અનુમાનિત છે. તેમાંથી અનુમાનિક બાહરી લોન હાલનાં એક્સચેન્જ રેટ પર 7.03 લાખ કરોડ રૂપિયા છે. નાણામંત્રીએ આગળ જણાવ્યું કે બાહરી લોનનો ભાગ કેન્દ્ર સરકારનાં કુલ લોન/લાયબિલિટીઝનાં લગભગ 4.5% અને GDPનાં 3 %થી ઓછું છે.