નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું કે કોવિડ વેક્સિન પર 5 ટકા અને ઓક્સિજન કંસેન્ટ્રેટર તથા કોવિડની દવાઓ પર 12 ટકા ટેક્સને કારણે તેની કિંમતો ઓછી કરવામાં મદદ મળે છે.
બંગાળ સીએમ મમતા બેનરજીએ કોરોના વેક્સિન પર ટેક્સ ઘટાડવાની માગ કરી હતી
નાણામંત્રીએ આપ્યો જવાબ
12 ટકા ટેક્સને કારણે કિંમતો ઘટાડવામાં મદદ મળે છે
નિર્માતાઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કોરોનાની દવા અને જીવન જરુરી વસ્તુઓ પર ટેક્સ માફ કરવાની માંગ કરી હતી જેના જવાબમાં સીતારામણે આ મુજબનો જવાબ આપ્યો હતો.
1/ Hon. CM of West Bengal @MamataOfficial has written to the Hon @PMOIndia seeking exemption from GST/Customs duty and other duties and taxes on some items and COVID related drugs.
નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું કે વેક્સિન અને દવાઓ પર સામાન્ય ટેક્સથી નિર્માતાઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે તેનાથી તેમને ભાવ ઘટાડવામાં મદદ મળે છે. તેમણે કહ્યું કે કોરોનાની દવાઓની આયાત પરનો ટેક્સ તો પહેલેથી જ માફ કરી દેવાયો છે.
1/ Hon. CM of West Bengal @MamataOfficial has written to the Hon @PMOIndia seeking exemption from GST/Customs duty and other duties and taxes on some items and COVID related drugs.
સીતારામણે કહ્યું કે જો આ દવાઓ અને જીવનરક્ષક ઉપકરણો પરના ટેક્સમાં બધી છૂટ આપવામાં આવે તો ઘરેલુ મેન્યુફેક્ચર્સ કાચા માલ અને બીજા સામાન પરના ટેક્સ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં ઉઠાવી શકે. આવી સ્થિતિમાં કાચા માલ પર ચુકવાયેલા ટેક્સનો બોજ ઉપભોક્તાઓ પર પડશે અને ઉત્પાદનો મોંઘા થઈ જશે.
1/ Hon. CM of West Bengal @MamataOfficial has written to the Hon @PMOIndia seeking exemption from GST/Customs duty and other duties and taxes on some items and COVID related drugs.
તેમણે કહ્યું કે કોવિડ-19 ની દવાઓ અને સંબંધિત સામાનની આયાત પરનો ટેક્સ તો પહેલેથી માફ કરી દેવાયો છે. આ સામાન પરનો આઈજીએસટીનો 70 ટકા ભાગ રાજ્યોના ખાતામાં આવે છે.