આર્થિક મંદી વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે દેશની ઇકોનૉમીની સ્થિતિ પર પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઇકોનૉમીની શું છે સ્થિતિ, હું આ ચર્ચામાં નથી પડવા માંગતી. હું માત્ર પોતાનું કામ કરી રહી છું.
GST દર ઘટાડવા પર નાણામંત્રીએ કહ્યું- મારા કાર્યાલયને છોડી દરેક જગ્યાએ ચર્ચા
18 ડિસેમ્બરમાં થવાની છે GST કાઉન્સિલની બેઠક
આની સાથે જ નિર્મલા સીતારમણે કહ્યું કે ઇકોનૉમીની ચિંતા દરેકને છે. મહેસૂલ માટે GST દરોને વધારવાની વાત પર નાણામંત્રીએ કહ્યું કે મારા કાર્યાલયને છોડીને દરેક જગ્યા પર આની ચર્ચા છે.
જણાવી દઇએ કે 18 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે. એવા સમાચાર હતા કે કાઉન્સિલ કમાણી વધારવા માટે GST દરોમાં ફેરફાર કરી શકે છે. નાણામંત્રીએ ડૂંગળીના વધતા ભાવ પર કહ્યું કે, દરેક જગ્યએ ભાવ ઓછા થવા લાગ્યા છે, સરકાર ડૂંગળી આયાત કરી રહી છે.
📡LIVE Now
Press Conference by Union Minister @nsitharaman
at 📍National Media Centre, #NewDelhi
ઇકોનૉમીને બુસ્ટ આપવા માટે લેવામાં આવેલ નિર્ણયો અને ઉપલબ્ધિઓને ઉલ્લેખ
આ પહેલા પ્રેસ કોન્ફરન્સની શરૂઆત મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને કરી. આ દરમિયાન જણાવ્યું કે સરકાર દ્વારા ઇકોનૉમીને બૂસ્ટ આપવા માટે લેવામાં આવેલ નિર્ણયો અને ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો. સુબ્રમણ્યનના જણાવ્યા અનુસાર, 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમી તરફ આગળ વધી રહ્યા છે. તેના માટે અમારી પાસે એક સુયોજિત રણનીતિ છે.
ગત જૂલાઇ મહિનામાં સામાન્ય બજેટ રજૂ થયા બાદ સરકારના નિર્ણયોનો ઉલ્લેખ કરતા મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું કે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ હેઠળ 17 પ્રસ્તાવોને મંજૂરી આપી દેવામાં આવી ચૂકી છે. જ્યારે 2 મહિનામાં PSUsના 61 હજાર કરોડ ચુકવાઇ ચૂક્યા છે. ત્યારે 7657 કરોડના 17 પ્રસ્તાવોને મંજૂરી મળી ચૂકી છે.
આ સિવાય રેલવે, રસ્તા સહિત પર 9 મહિનામાં 2.5 લાખ કરોડ ખર્ચ થયા છે. NBFCs/HFCsને 4.47 લાખ કરોડ આપવામાં આવ્યા. તેમણે કહ્યું કે કૉર્પોરેટને 2.2 લાખ કરોડ લોન આપવામાં આવી છે. જ્યારે બેન્ક ફ્રૉડ અટકાવવા માટે બોર્ડની રચના થઇ છે. ત્યારે રેવેન્યૂ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે 2018માં ઇન્ટીગ્રેટ ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ (IGST) 38988 કરોડ રૂપિયા હતો જે 2019-20માં અત્યાર સુધી 56057 કરોડ રૂપિયા થઇ ચૂક્યો છે.