સોમવારે એક મંદિરમાં પૂજા કરતાં સમયે કોંગ્રેસના નેતા શશી થરૂર ઘાયલ થઇ ગયા હતા અને તેમના માથા પર છ ટાંકા આવ્યાં હતા. જો કે આજરોજ સવારે તેઓ આશ્ચર્યચકિત ત્યારે થઇ ગયા જ્યારે તેમની સારવાર અર્થે ખબરઅંતર પૂછવા કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યાં.
કોંગ્રેસના નેતા અને તિરૂવંતપુરમ લોકસભા બેઠકના ઉમેદવાર શશી થરૂર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે સોમવારે એક મંદિરમાં પૂજા કરતાં સમયે કોંગ્રેસના નેતા શશી થરૂર ઘાયલ થઇ ગયા હતા અને તેમના માથા પર છ ટાંકા આવ્યાં હતા. જો કે આજરોજ સવારે તેઓ આશ્ચર્યચકિત ત્યારે થઇ ગયા જ્યારે તેમની સારવાર અર્થે ખબરઅંતર પૂછવા કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યાં.
કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમણ હાલ કેરળમાં ચૂંટણી અભિયાનમાં છે. જો કે નિર્મલા સીતારમણ અચાનક હોસ્પિટલ પહોંચ્યા હતાં જ્યાં કોંગ્રેસ નેતા શશી થરૂરની સારવાર ચાલી રહી છે. શશી થરૂરે પોતાના ટવિટર પર આ મુલાકાતનો ફોટો શેર કરતાં લખ્યું કે રક્ષા મંત્રી સીતારમણનો સ્વાભાવ મને ઘણો પસંદ આવ્યો જે પોતાના હાલના ચૂંટણી અભિયાનમાં સમય નિકાળી મારા ખબરઅંતર પુછવા હોસ્પિટલ આવ્યાં.
ભારતીય રાજકારણમાં આ શિષ્ટાચાર એક દૂર્લભ ગુણ છે. તેમને આમ કરતાં જોઇને સારું લાગ્યું. કોંગ્રેસ નેતાને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટના નેતા સી દિવાકરે ફોન કરી વાતચીત કરી હતી. આ અંગે ટવિટ કરતાં શશી થરૂરે લખ્યું કે પોતાના એલડીએફના પ્રતિસ્પર્ધી સી શિવકરનો આભારી છું જેમણે મારા સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી. થરૂરે જણાવ્યું કે મારા હરીફ ઉમેદવારે હોસ્પિટલના અધીક્ષક સાથે ફોન પર વાત કરી મારા ઠીક થઇ જવા અંગે જાણકારી પ્રાપ્ત કરી.
Touched by the gesture of @nsitharaman, who dropped by today morning to visit me in the hospital, amid her hectic electioneering in Kerala. Civility is a rare virtue in Indian politics - great to see her practice it by example! pic.twitter.com/XqbLf1iCR5