દેશમાં આર્થિક મંદીનો માહોલ છે. આ સમયે શનિવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક વાર ફરી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું હતું કે અમારું ફોકસ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. દેશમાં મોંઘવારી કંટ્રોલમાં છે, હાલમાં આ દર 4 ટકાનો છે. નિકાસને લઈને પણ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.
ઓદ્યોગિક ઉત્પાદનોમાં પણ કર્યા બદલાવઃ નિર્મલા સીતારમણ
નિકાસ મુદ્દે લીધા મહત્વના પગલાંઃ નિર્મલા સીતારમણ
મોંધવારી દર 4 ટકા નીચે છે અને મોંઘવારી કંટ્રોલમાં છેઃ નિર્મલા સીતારમણ
એપ્રિલ જૂનમાં મળી શકે છે ઇન્ડસ્ટ્રી રિવાઈવલના સંકેત
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે નાના ડિફૉલ્ટમાં હવે કાયદાકિય કેસ નહીં થાય. ત્યારે 25 લાખ રૂપિયાસુધીના ટેક્સ ડિફૉલ્ટર્સ પર કાર્યવાહી માટે સીનિયર અધિકારીઓને મંજૂરી જરૂરી હશે. સાથે જ નિકાસ ઉત્પાદનો પર ટેક્સ છૂટની યોજના (RODTEP) એક નવી યોજના છે. આ 1 જાન્યુઆરી 2020 સુધીમાં સમગ્ર રીતે તમામ મર્ચેડાઇઝ એક્સપોર્ટ્સને ઇંડિયા સ્કીમ (MEIS) ની જગ્યા લેશે.
અફોર્ડેબલ હાઉસિંગ માટે 10,000 કરોડ રૂપિયાના ફંડનું એલાન
નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં અફોર્ડેબલ, મિડલ ક્લાસ ઇન્કમ હાઉસિંગ માટે 10 હજાર કરોડના ફંડનું એલાન કર્યું છે. નાણા મંત્રીએ જણાવ્યું કે ઘર ખરીદવા માટે જરૂરી ફંડ માટે સ્પેશિયલ વિંડો બનાવવામાં આવશે. જેમાં એક્સપર્ટ લોકો કામ કરશે. લોકોને ઘર લેવામાં સરળતા પડશે અને સરળતાથી લોન લઇ શકાશે. સાથે અફોર્ડેબલ હાઉસિંગ પર એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ એટલે ECB ગાઇડલાઇન્સ સરળ કરવામાં આવશે.
જણાવી દઇએ કે ઇસીબી વિંડો હેઠળ ભારતની કંપનિઓ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા કેટલીક ખાસ સ્થિતિઓમાં વિદેશ મૂડી એકઠી કરવી યોગ્ય છે. જણાવી દઇએ કે 45 લાખ રૂપિયા સુધીનું મકાન ખરીદવા પર ટેક્સમાં છૂટના નિર્ણયમાં ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરમાં મળ્યો છે.
નાણા મંત્રીએ કહ્યું કે બજેટમાં કેટલાક નિર્ણયો લેવાઇ ચૂક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.95 કરોડ લોકોને ફાયદો થયો છે.
ટેક્સપેયર્સને મોટી રાહત, નાના ડિફોલ્ટમાં નહીં ચાલે અપરાધિક કેસ
નિર્મલા સીતારમણે જણાવ્યું કે નાના ડિફોલ્ટમાં હવે અપરાધિક કેસ ચાલશે નહીં. 25 લાખ રૂપિયા સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી છે. એક્સપોર્ટ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફોર્મ ઇન્ડિયન સ્કીમ એટલે કે એમઈઆઈએસની જગ્યાએ નવી સ્કીમ આરઓડીટીઈપીને લોન્ચ કરવામાં આવી છે. આ નવી સ્કીમથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો ભાર વધશે.તો એક્સપોર્ટમાં ઈ રિફંડ જલ્દી લાગૂ થશે.
એક્સપોર્ટને વધારવા માટે માર્ચમાં 4 મેગા ફેસ્ટિવલનું આયોજન થશે. આ ફેસ્ટિવલ 4 અલગ અલગ દેશોમાં આયોજિત થશે. દેશના દરેક પોર્ટ પર મેન્યુઅલ ક્લિયરન્સ ડિસેમ્બર 2019થી બંધ થશે.
મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોના ક્રેડિટ આઉટ ફ્લો વધશે, સાથે જ ક્રેડિટ આઉટફ્લોની જાણકારી માટે સપ્ટેમ્બરમાં PSU બેંકોના પ્રમુખ સાથે બેઠક થશે. આર્થિક મંદીને લઈને કેન્દ્રની મોદી સરકારને વિપક્ષે નિશાન બનાવી છે. દેશની આર્થિક મંદીને લઈને સતત આલોચના થઈ રહી છે ત્યારે નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારું ફોકસ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. આ પહેલાં ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે નિર્મલા સીતારમણે બે વાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
Finance Minister Nirmala Sitharaman: The scheme of Remission of Duties or Taxes on Export Products (RoDTEP) is a new scheme, it shall completely replace all Merchandise Exports from India Scheme (MEIS) from January 1, 2020. pic.twitter.com/Gwf38yY8yC
આ સમયે 20 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની પણ બેઠક થવાની છે. જેમાં કારથી લઈને બિસ્કિટ સુધીના ઉત્પાદનો પર જીએસટીના ઘટાડાની શક્યતા છે. સાથે જ કાઉન્સિલ રાજસ્વની સ્થિતિને પણ ધ્યાનમાં રાખશે. જીએસટીના દરમાં ઘટાડો થશે અને તેની સીધી અસર રાજ્યોની આવક પર થશે. ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષની પહેલાં ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ રેટ નીચે ઉતર્યો અને તે 6 વર્ષના નીચેના સ્તરે 5 ટકા પર આવી ચૂક્યો છે.
આર્થિક મંદીને લઈને ચારેતરફ આલોચના થઈ રહી છે ત્યારે મોદી સરકારની ઈકોનોમીને વેગ આપવા માટે ફરી એક વાર મોટું એલાન નાણાંમંત્રી કરી શકે છે. શનિવારે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પીઆઈબીના આધારે 2.30 વાગે થનારી પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત થઈ શકે છે. આ પહેલાં 30 ઓગસ્ટે એક પ્રેસ કોન્ફરન્સ સીતારમણે બેંકિંગ સેક્ટરને લઈને કરી હતી અને તેમાં તેઓએ 10 સરકારી બેંકોના વિલયની સાથે 4 મોટી બેંક બનાવવાની જાહેરાત કરી હતી.
Press Conference by Union Finance Minister @nsitharaman to announce important decisions of the government.