બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:55 PM, 23 July 2024
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ખેતી અને ખેડૂતો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. બજેટ ભાષણમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાકભાજીની સપ્લાય ચેઇનને મજબૂત કરવા પર રહેશે. આ માટે ખેડૂતો, સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. એકત્રિકરણ, સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર શાકભાજીનું ઉત્પાદન વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.શાકભાજીના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ અંગે સરકારે જે વિઝન આપ્યું છે તેનો સીધો લાભ સામાન્ય માણસને મળી શકશે. જાણો રોજિંદા જીવનમાં વપરાતા બટાકા, ડુંગળી, ટામેટાં જેવા શાકભાજીના ભાવ કેવી રીતે ઘટાડી શકાય?
ADVERTISEMENT
બટાકા, ડુંગળી અને ટામેટાના ભાવ કેવી રીતે નીચે આવી શકે?
સરકારનું ફોક્સ છે કે શાકભાજીના ઉત્પાદન સાથે તેના સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. આ સાથે જોડાયેલા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવામાં આવે. સામાન્ય જનતાને આ યોજનાનો સીધો લાભ મળવાની અપેક્ષા છે. સરકારની આ યોજનાથી બજારમાં મનસ્વી ભાવે શાકભાજી વેચતી મોટી કંપનીઓના એકાધિકારના અવકાશમાં ઘટાડો થશે.
ADVERTISEMENT
શાકભાજીનો પુરવઠો માંગ કરતાં વધુ હશે
સહકારી મંડળી અને તેની સાથે જોડાયેલા નવા સ્ટાર્ટ-અપ્સના બજારમાં આવવાથી સ્પર્ધા વધશે. શાકભાજીનો પુરવઠો માંગ કરતાં વધુ હશે. આની સીધી અસર વેપાર પર પડશે. પરિણામે, મોટી અને જૂની કંપનીઓનો એકાધિકાર ઘટશે. જેમ જેમ સ્પર્ધા વધે છે તેમ તેમ કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. લોકોને સસ્તા ભાવે શાકભાજી મળશે.
સંશોધન દ્વારા કૃષિમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવશે
કેન્દ્ર સરકાર ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે રાજ્યો સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત સંશોધન દ્વારા કૃષિમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવશે. નિષ્ણાતો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે. જળવાયું અનુસાર તેની વિવિધતાને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે.. આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી સાથે જોડવામાં આવશે. તેલીબિયાં અને કઠોળને પ્રોત્સાહન આપવા માટે સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સૂર્યમુખી અને સોયાબીન જેવા પાકો પર પણ રહેશે.
આ પણ વાંચોઃ બજેટના એલાન બાદ મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદનારાઓને થશે વિશેષ ફાયદો, જાણો કઇ રીતે
9 પ્રાથમિકતાઓમાં ખેતીનો પણ સમાવેશ
સરકારે બજેટમાં 9 પ્રાથમિકતાઓ નક્કી કરી છે. તેમાં ખેતીનો પણ સમાવેશ થાય છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે 6 કરોડ ખેડૂતોની માહિતી લેન્ડ રજિસ્ટ્રી પર લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન કાર્ડ જારી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.