જૂની પેન્શન સ્કીમને ફરી લાગૂ કરવાની માગ કરનારા કર્મચારીઓ માટે ખુશ ખબર છે. નાણામંત્રીએ આજે સંસદમાં આ અંગે કેટલાક પ્રસ્તાવ મૂક્યાં અને વોટિંગ પણ કરવામાં આવી.
જૂની પેન્શન સ્કીમ અંગે કર્મચારીઓ માટે ખુશ ખબર
નિર્મલા સીતારમણે કમિટી બનાવવા અંગે મુક્યો પ્રસ્તાવ
તમામ સભ્યોએ વોટિંગ કરી બિલ કરવામાં આવ્યો પાસ
દેશમાં જૂની પેન્શન સ્કીમ અને નવી પેન્શન સ્કીમને લઈને સરકાર અને વિપક્ષી દળોની વચ્ચે વિવાદો ચાલી રહ્યાં છે. ગેર-ભાજપ શાસિત રાજ્યોમાં વિપક્ષ આ મુદો સતત ઊઠાવી રહ્યાં છે ત્યારે શુક્રવારે સંસદમાં નાણામંત્રી નિર્ણલા સીતારમણે સરકારી કર્મચારીઓ માટે પેન્શન સંબંધિત મુદાઓ પર ધ્યાન આપવા માટે એક સમિતિ ગઠન કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
નાણાસચિવની નેતૃત્વમાં બનશે કમિટી
નાણામંત્રીએ કહ્યું કે નાણાં સચિવનાં નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી નવી પેન્શન સ્કીમનું રિવ્યૂ કરશે. નાણામંત્રીએ લોકસભામાં ફાઈનેન્સ બિલ રજૂ કર્યું અને બબાલની વચ્ચે તેના પર વોટિંગ થઈ. લોકસભામાં ફાઈનેંસ બિલને પાસ કરવામાં આવ્યું.
I propose to set up a committee under the Finance Secretary to look into the issue of pensions & evolve an approach which addresses needs of employees while maintaining fiscal prudence to protect common citizens.
નવી અને જૂની પેન્શન સ્કીમ વચ્ચે અંતર
દેશમાં 1 જાન્યુઆરી 2004થી નવી પેન્શન સ્કીમ લાગૂ પાડવામાં આવી છે. બંને પેન્શનનાં કેટલાક ફાયદા છે તો કેટલાક નુક્સાન. જૂની પેન્શન સ્કીમ અંતર્ગત રિટાયરમેન્ટનાં સમયે કર્મચારીનાં વેતનની અડધી રકમ પેન્શનનાં રૂપમાં આપવામાં આવતી હતી. કારણકે જૂની પેન્શન સ્કીમમાં પેન્શનનું નિર્ધારણ સરકારી કર્મચારીની છેલ્લી બેઝિક સેલેરી અને મોંઘવારી દરનાં આંકડાઓ અનુસાર થાય છે. જૂની પેન્શન યોજનામાં ચૂકવણી સરકારની ટ્રેઝરીનાં માધ્યમથી થાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે જૂની પેન્શન સ્કીમમાં દર 6 મહિના બાદ મળનારાં DAનું પણ પ્રાવધાન છે એટલે કે જ્યારે સરકાર નવો પે કમિશન લાગૂ કરે છે ત્યારે પેન્શનમાં પણ વધારો થાય છે.
નવી પેન્શન સ્કીમ કુલ જમા રકમ અને રોકાણ પર આવેલા રિટર્ન અનુસાર નક્કી થાય છે. તેમાં કર્મચારીઓનું યોગદાન બેસિક સેલેરી અને DAનાં 10% કર્મચારીઓને પ્રાપ્ત થાય છે. એટલું જ યોગદાન રાજ્ય સરકાર પણ આપે છે. એક મે 2009થી NPS સ્કીમ બધા માટે લાગૂ પાડવામાં આવી હતી. જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીઓની સેલેરીમાંથી કોઈ કટ નહોતો થતો.NPSમાં કર્મચારીઓની સેલેરીમાંથી 10% કટ કરવામાં આવે છે. NPSમાં GPFની પણ કોઈ સુવિધા નથી.