નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરાકલા પ્રભાકરે એક મીડિયામાં લેખ લખીને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે અને એને સુધારવા માટે સરકારે જરૂરી પગલા ભરવા જોઇએ.
અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ, સરકાર પાસે રોડમેપ પણ નથી
નેહરુવાદી નીતિઓને ફગાવી, પરંતુ વિકલ્પ રજૂ ન કરવું કારણ
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને આંધ્ર પ્રદેશ સરકારના પૂર્વ સંચાર સલાહકાર પરાકલા પ્રભાકરે એક અંગ્રેજી પેપરમાં લેખ લખીને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. એમને કહ્યું કે સરકાર આ સંકટથી નિપટવા માટે કોઇ રોડમેપ રજૂ કરી શકી નથી.
પ્રભાકર હૈદરાબાદની એક ખાનગી કંપની રાઇટ ફોલિયોના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. એમને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. સરકાર ભલે ના પાડે, પરંતુ જે આંકડા સામે આવી રહ્યા છે એના પરથી એવું જાણવા મળી રહ્યું છે કે એક એક કરીને ઘણા સેક્ટર સંકટના સમયનો સામનો કરી રહી છે.
કઇ વાતની છે ચિંતા
લેખમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતીય ખાનગી ખપતમાં ઘટાડો થયો છે અને આ 18 મહિનાના નીચેના સ્તર 3.1 ટકા સુધી પહોંચી ગયો છે. આ નાણાંકીય વર્ષની પહેલી ત્રિમાસીકમાં જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચેના સ્તર પર 5 ટકા પર પહોંચી ગઇ છે. બેરોજગારી દર 45 વર્શના ઉપરી સ્તર સુઘી પહોંચી ગઇ છે.'
'સરકાર પાસે આ પડકારને નિપટવાની રણનીતિક દ્રષ્ટિ છે. એ વાતના ઓછા પુરાવા છે. એમને કહ્યું કે પાર્ટી નેતૃત્વને કદાચ જ આ વાતનો આભાસ હતો. એટલા માટે આ વખતે લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ પોતાના આર્થિક પ્રદર્શનની કોઇ વાત કરી નથી અને ભાગીદારીની સાથે એક દ્રઢ રાજકીય, રાષ્ટ્રવાદી, સુરક્ષા એજન્ડા રજૂ કર્યો.'
એમને કહ્યું કે હાલની પરેશાનીનું એક અનિવાર્ય તત્વ એ છે કે ભાજપ નહેરુવાદી નીતિઓના માળખાને પૂરી રીતે સ્વીકારવા ઇચ્છતી નથી જેની તે ટીકા કરતી રહી છે. આર્થિક નીતિમાં પાર્ટીના મુખ્યત: 'નેતિ નેતિ'ને અપનાવ્યો છે અને એવું નથી જણાવતી કે એમની પોતાની નીતિ શું છે.
પી.પ્રભાકરે કહ્યું કે,
ભાજપ કોઇ વૈકલ્પિક નીતિ રજૂ કરી શકી નથી. આદર્શ પુરુષ દીનદયાળ ઉપાધ્યાયનું 'એકાત્મ માનવવાદ' વ્યાવહારિક નથી. એમને લખ્યું કે, 'એકાત્મ માનવવાદને આધુનિક બજારમાં વૈશ્વિક દુનિયામાં વ્યવહારિક નીતિયોમાં બદલી શકાશે નહીં.
કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રીઓ નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ દ્વારા તૈયાર માળખાને પણ ભાજપ દૂર કરી શકી નથી. સરકારે અર્થવ્યવસ્થાના ઉદારીકરણનો રસ્તો અપનાવ્યો છે. એટલા માટે મને લાગે છે કે આ માળખાને જો ભાજપ પૂરી રીતે અપનાવે તો હાલના આર્થિક સંકટથી સ્પર્ધા કરી શકાય છે.