સુબ્રમણ્યન સ્વામીએ જાણીતી ન્યુઝ એજન્સી huffington post સાથેની વાતચીતમાં હાલના નાણામંત્રી નિર્મલા સીતારામણ ઉપર આકરા ચાબખા ફટકારતા કહ્યું હતું કે નિર્મલા સીતારમણને અર્થતંત્રમાં કશી ખબર પડતી નથી.
ભારતના સિનિયર અર્થશાસ્ત્રી અને હાવર્ડ સ્નાતક ભાજપના રાજ્યસભાના નેતા સુબ્રમણ્યન સ્વામીએ આજથી થોડા દિવસ પહેલા જાણીતી ન્યુઝ એજન્સી huffington post સાથેની વાતચીતમાં હાલના નાણામંત્રી નિર્મલા સીતારામણની આકરી ઝાટકણી કાઢી હતી. નોંધનીય છે કે સીતારમણે રાજ્યસભામાં કહ્યું હતું કે દેશના અર્થતંત્રની વૃદ્ધિ ધીમી થઇ છે જેનો અર્થ એ નથી કે દેશમાં મંદી આવી ગઈ છે. મંદી નથી અને મંદી ભવિષ્યમાં આવશે પણ નહીં.
સાચો વૃદ્ધિદર તો ફક્ત 1.5% છે : સ્વામીનો દાવો
સીતારમણના આ વિધાન માટે સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું હતું કે નિર્મલા સીતારમણને અર્થતંત્રમાં કશી ખબર પડતી નથી. અત્યારે સરકાર વૃદ્ધિ દર 4.8% હોવાની વાતો કરે છે જયારે હું કહું છે કે વૃદ્ધિ દર ફક્ત 1.5% છે.
હાલમાં જ પ્રસારિત થયેલા આંકડા મુજબ વૃદ્ધિદર 4.5% છે જે છેલ્લા સાડા છ વર્ષના તળિયે છે.
સ્વામીએ આગળ કહ્યું હતું કે પત્રકાર પરિષદમાં સીતારમણ માઈક વારંવાર સરકારી અધિકારીઓને સોંપી દે છે. આ દેશની હાલની સૌથી મોટી માંગમાં થયેલો ઘટાડો છે. પુરવઠાને લગતી કોઈ સમસ્યા નથી. પણ સીતારમણે કોર્પોરેટ ટેક્સ ઘટાડી દીધા. કોર્પોરેટ્સ હવે પુરવઠાથી છલકાઈ ગયા છે. આ પુરવઠાનો ઉપયોગ કોર્પોરેટ પોતાના દેવા પુરવા માટે કરી રહયું છે.
સુબ્રમણ્યન સ્વામીનું માનવું છે કે PM મોદીના સલાહકારો તેમને કોઈ પણ આર્થિક સલાહ આપતા ખચકાય છે. નોંધનીય છે કે નાણામંત્રી તરીકે સુબ્રમણ્યમ સ્વામીનું નામ પણ ચર્ચાય છે પરંતુ મોદી સરકાર તેમને અવગણી રહી છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.