નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2020-21 માટે આર્થિક સર્વે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં અનુમાન લગાવામાં આવ્યું છે કે આવનારા નાણાંકીય વર્ષમાં વિકાસ દર 6 થી 6.5 ટકા રહેવાની સંભાવના છે. લોકસભા બાદ રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.
નાણાંકીય વર્ષ 2020-21 માટે આર્થિક સર્વે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો
નાણાંકીય વર્ષમાં વિકાસ દર 6 થી 6.5 ટકા રહેવાની સંભાવના
લોકસભા બાદ રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે
આર્થિક સર્વે કેમ રજૂ કરવામાં આવે છે...
આર્થિક સર્વે એટલા માટે રજૂ કરવામાં આવે છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી રહી છે અને આવનારા વર્ષમાં તેને વધુ કઇ રીતે સારી બનાવી શકાય. બજેટને તૈયાર કરવામાં આ સર્વેમાં કરવામાં આવેલી ભલામણ પર અમલ કરવા માટે સરકાર જરૂરી ઉપાયોની જાહેરાત કરતી હોય છે.
આર્થિક સર્વેની મુખ્ય વાતો...
વર્તમાન નાણાકીય વર્ષમાં કર વસૂલાતમાં ઘટાડો થઈ શકે છે
સરકારને GSTથી વસૂલાતમાં વધારો થવાની અપેક્ષા છે, પરંતુ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી
આર્થિક સર્વેમાં જણાવાયું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસ દર પાંચ ટકાના દરે વૃદ્ધિ કરશે
ભારતની ગણતરી વિશ્વના પ્રમુખ દેશોમાં થાય છે
માંગ વધારવા માટે સરકારે ઘણા પગલાં ભરવાના રહેશે, જેથી સુસ્તીને દૂર કરી શકાય
સર્વે કહે છે કે વૃદ્ધિ વધારવા માટે ઘણા નિયમો હળવા કરવા પડશે
વૈશ્વિક વિકાસની નબળાઇથી ભારત પણ પ્રભાવિત થઈ રહ્યું છે
નાણાંકીય ક્ષેત્રની સમસ્યાઓના કારણે રોકાણના અભાવના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ પણ ઘટી છે
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક
સરકાર નાના ઉદ્યોગો માટે લોન અને અન્ય સુવિધાઓ પૂરી પાડશે
વર્ષ 2014-15 અને 2018-19 વચ્ચે રસ્તાઓ અને હાઇવે પરના રોકાણમાં ત્રણ ગણો વધારો થયો છે
દેશમાં 95 ટકા વેપાર સમુદ્ર દ્વારા થઈ રહ્યો છે
દેશના NBFC ક્ષેત્રે IL&FSમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું
આ સંકટને પહોંચી વળવા સર્વેક્ષણમાં આરોગ્યના આંકડાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જેની મદદથી અગાઉથી ચેતવણી મોકલી શકાય
આનાથી રોકાણકારો અને બેંકો NBFC કંપનીઓમાં ડિફોલ્ટના કિસ્સામાં અગાઉથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશે
2011-12 થી 2017-18ની વચ્ચે 2.62 કરોડ લોકોને નવી નોકરી મળી છે
ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી વધુ મુસાફરોને વહન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન, 120 કરોડ ટન નૂર અને 840 કરોડ મુસાફરો પ્રવાસ કરી ચૂક્યા છે
વિકાસ દરમાં વધારો કરવા માટે મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન આપવા અંગે જણાવ્યું
આમાં ચીનની તર્જ પર ભારતમાં એસેમ્બલી કરીને નોકરીમાં વધારો કરી શકાય છે