મોદી સરકારના બે સિનિયર મંત્રીઓએ એક અઠવાડિયામાં બુદ્ધિ પ્રદર્શન કર્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે 'ઓટો સેક્ટરમાં મંદી આવવાનું કારણ ઓલા અને ઉબેર છે' જ્યારે ગઈકાલે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આઈન્સ્ટાઈનને ગુરૂત્વાકર્ષણનો શોધક ગણાવ્યો હતો. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઉપરાંત લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.
મોદી સરકારના 2 સિનિયર મંત્રીઓનો બફાટ
સોશ્યિલ મીડિયા પર પોતાના નિવેદનોને કારણે થયા ટ્રોલ
નિર્મલા સિતારમણે ઓટો સેક્ટરની મંદી માટે ઓલા -ઉબેરને જવાબદાર ઠેરવ્યા
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરમાં આવેલી મંદી માટે ઓલા અને ઉબેરને જવાબદાર ગણાવ્યા છે. તો અન્ય તરફ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આપણે જીડીપીના આંકડાની ગણતરી કરવી જોઈએ નહીં કારણકે ગણિતે આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણની શોધ કરવામાં મદદ કરી નહતી. મંત્રી પિયુષ ગોયલ ગુરુવારે લોકોનો શિકાર બન્યા. એક સંમેલનમાં તેઓએ કહી દીધું કે ગુરુત્વાકર્ષણનો નિયમ આઈન્સ્ટાઈને શોધ્યો. આ વીડિયો ટ્રોલ થવા લાગ્યો અને ટ્વિટર પર આઈન્સ્ટાઈન, ન્યૂટન, પિયુષ ગોયલ ટ્રેન્ડમાં આવ્યા.
ઓટો સેક્ટરની મંદી માટે ઓલા અને ઉબેર જવાબદારઃ નિર્મલા સીતારમણ
મંગળવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરમાં આવેલી મંદીને માટે APP બેસ્ડ કેબ કંપનીઓ ઓલા અને ઉબેરને જવાબદાર ગણાવી હતી. સોશ્યિલ મીડિયા પર બુધવારે તેમની ખૂબ મજાક ઊડી. લોકોનું કહેવું છે કે અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને લઈને નાણાંમંત્રીનું જ્ઞાન અધૂરું છે. ટ્વિટર પર શહેરી વિસ્તારોમાં રહેનારા યુવા વર્ગને મંદીને લઈને જવાબદાર ગણાવનારા નિવેદન બાદ લોકોએ તેમનો બાયકોટ કરવાની વાત કહી. આ દિવસે ટ્વિટર પર #BoycottMillennials અને #SayItLikeNirmalaTai ટ્રેન્ડિંગમાં રહ્યા હતા.
ગોયલે પોતાના નિવેદનને લઈને કરી સ્પષ્ટતા
ગ્રેવિટીને લઈને પોતાના નિવેદન પર રેલ મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટતા આપી છે. મુંબઇમાં એક કાર્યક્રમમાં પિયુષ ગોયલે સાર્વજનિક મંચ પર પોતાની ભૂલ સ્વીકારી. પિયુષ ગોયલે આઈન્સ્ટાઈનનું વાક્ય રીપિટ કર્યું અને કહ્યું 'જે વ્યક્તિએ ક્યારેય ભૂલ કરી નથી તેણે ક્યારેય કંઈ નવું કરવાની કોશિશ કરી નથી.' ઉલ્લેખનીય છે કે પિયુષ ગોયલે એક કાર્યક્રમમાં ગ્રેવિટીને આઈન્સ્ટાઈની થિયરી ગણાવી હતી.
Union Minister Piyush Goyal's clarification on his recent comments: There is a very mischievous & baseless narrative sought to be presented about my closing comments at the board of trade meeting this morning. (File pic) pic.twitter.com/knOEHLf1LJ
વીડિયો થયો વાયરલ
ગોયલનો એ વાતનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો. લોકો તેમને આ નિવેદન માટે તેમની ડિગ્રી પર પણ પ્રશ્નો કરવા લાગ્યા. તેઓએ પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓ ઉદ્યોગને વધારવા માટે નિવેદન આપી રહ્યા હતા. મારા શબ્દોને તોડીને જોડીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
#WATCH Union Minister Piyush Goyal's clarification on his recent comments: The comment that I made had a certain context. Unfortunately some friends have sought to remove the context, pickup one line and create a very mischievous narrative. pic.twitter.com/bzugSwSTyi
ગોયલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મેં ચોક્કસ સંદર્ભમાં આ વાત કરી હતી પણ કેટલાક લોકોએ વાતનો સંદર્ભ કાઢી નાંખીને અર્થનો અનર્થ કરી દીધો છે. જો કે સ્પષ્ટતા સમયે પણ ગોયલે આઇન્સ્ટાઈન પાસે જ ગુરુત્વાકર્ષણની શોધ કરાવી હતી.
ન્યૂટને કરી હતી આ શોધ
ગુરુત્વાકર્ષણના નિયમની શોધ ન્યૂટને કરી હતી. જ્યારે આઈન્સ્ટાઈને સાપેક્ષતાના સિદ્ધાંત અને દ્વવ્યમાન ઉર્જાના સમીકરણ (E=mc2)ની શોધ કરી હતી. આ પહેલાં પણ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરની મંદી માટે ઓલા-ઉબેરને જવાબદાર ઠેરવ્યા હતા જેના કારણે તેઓ ટ્રોલ થયા હતા. તેઓએ કહ્યું હતું કે ઓટો સેક્ટર BS-6ની અને લોકોની વિચારધારાથી વધુ પ્રભાવિત છે. હવે મિલેનિયલ્સ ગાડી કરતાં ઓલા, ઉબરનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.