નિર્ભયા સામૂહિક બળાત્કારના દોષિત ફાંસીની વિરુદ્ધ હવે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ની શરણમાં પહોંચ્યા છે. દોષિતોના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખ્યો છે. પત્રમાં 20 માર્ચે થનારી ફાંસી પર રોકની માંગ કરાઇ છે.
એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખીને 20 માર્ચે થનારી ફાંસી પર રોકની માંગ કરી
આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે નીચલી કોર્ટના તમામ રેકોર્ડ કોર્ટ પોતાની પાસે મંગાવે જેથી તે પોતાનો પક્ષ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રાખી શકે. પત્ર નેધરલેન્ડના દૂતાવાસને આપવામાં આવ્યો છે, જે આઇસીજેને મોકલવામાં આવ્યો છે.
આ પહેલા દોષિત મુકેશ સિંહને સુપ્રીમ કોર્ટથી ઝટકો લાગ્યો છે. ફાંસી રોકવાની તેની એક કોશિશ નિષ્ફળ નીવડી છે. નિર્ભયા ગેંગરેપ મામલામાં દોષિત મુકેશની અંતિમ ચાલ પણ કામમાં આવી નથી. સુપ્રીમ કોર્ટે તેને ઝટકો આપતા કહ્યું કે ફરીથી ક્યૂરેટિવ અરજી અને દયા અરજી દાખલ કરવાની તક નહીં મળે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમ આર શાહની પીઠે દોષિત મુકેશની અરજી ફગાવી દીધી.
મુકેશે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેની પૂર્વ વકીલ વૃંદા ગ્રોવરે તેના પર દબાણ નાંખીને ક્યૂરેટિવ અરજી દાખલ કરાવી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે ક્યૂરેટિવ અરજી અને દયા અરજી દાખલ કરવાની તક આપવામાં આવે. પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી. હવે મામલાના તમામ દોષિતોને 20 માર્ચની સવારે 5.30 વાગ્યે જ ફાંસી અપાશે. કોર્ટે કહ્યું કે દોષિત પોતાની તમામ તક પૂર્ણ કરી ચૂક્યો છે. તેની પાસે કોઇપણ કાયદાકીય અધિકાર રહ્યો નથી.
નોંધનીય છે કે, મુકેશે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે તેની પૂર્વ વકીલ વૃંદા ગ્રોવરે તેના પર દબાણ નાંખીને ક્યૂરેટિવ અરજી દાખલ કરાવી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી કે તેને ફરીથી ક્યૂરેટિવ અરજી અને દયા અરજી દાખલ કરવાની તક આપવામાં આવે. એમએલ શર્માના માધ્યમથી દાખલ અરજીમાં મુકેશ સિંહે અરજી દાખલ કરવાની તારીખથી ત્રણ વર્ષ સુધી ક્યુરેટિવ પીટિશન દાખલ સમય મર્યાદાનો દાવો કર્યો હતો. મુકેશની પુનર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે જુલાઇ 2018માં ફગાવી દીધી હતી.