નિર્ભયા કેસમાં ચારેય દોષીઓ વિરુધ્ધ દિલ્હીની પટિયાલા હાઉશ કોર્ટે ડેથ વૉરંટ ઇશ્યુ કરી દીધુ છે. આ સાથે જ હવે દોષીઓ ફાંસીના માંચડાની નજીક પહોંચી ગયા છે. જો કે હજુ પણ તેમની પાસે કાયદાકીય વિકલ્પ બચ્યાં છે.
દિલ્હીની પટિયાલા હાઉશ કોર્ટે ડેથ વૉરંટ ઇશ્યુ કરી દીધુ
દોષીઓ ફાંસીના માંચડાની નજીક પહોંચી ગયા
રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરે તો પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી રોકી દેવાય
નિર્ભયા કેસના ચારેય દોષીઓ જો આ વિકલ્પનો ઉપયોગ કરતાં નથી તો તેમને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી આપી દેવામાં આવશે. પરંતુ તેઓ જો રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરે છે તો આ પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી ફાંસી રોકી દેવામાં આવે છે.
કાયદાકીય જાણકારો જણાવે છે કે ડેથ વૉરંટ ઇશ્યુ થયા બાદ પણ દયાની અરજી અને રિટ કરવાનો અધિકાર રહે છે. કાયદાના નિષ્ણાંત જણાવી રહ્યાં છે કે ડેથ વૉરંટ ઇશ્યુ થયા બાદ પણ દોષી જો ઇચ્છે તો રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરી શકે છે.
આ મામલે ચારેય દોષીઓએ હજુ સુધી દયાની અરજી દાખલ કરી નથી આમ આ દોષીઓ પાસે હજી પણ આ વિકલ્પ છે. દયાની અરજી દાખલ કરવા માટે કોઇ સમય મર્યાદા હોતી નથી. આ મુદ્દા પર હવે ક્યૂરેટિવ પિટિશનનો રસ્તો હાલ પુરતો બંધ જોવા મળી રહ્યો છે. જો કે દોષીઓના વકીલે એપી સિંહે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે.