નિર્ભયાનાં ગુનેગાર કંઈ પણ કરીને ફાંસીથી બચવા માંગે છે અને તેનાં વકીલો પણ કાયદામાં મળેલા ગુનેગારોનાં હકોને હથિયાર બનાવી રહ્યાં છે. ગુનેગારો એક પછી એક વારા ફરથી જે રીતે અવનવી અરજીઓ કરીને કરી રહ્યાં છે. તેને જોતા એવું જ લાગી રહ્યું છે આ એક આયોજન પુર્વકનું ફાંસીથી બચવા માટેનું કાવતરું છે. જાણો હવે અક્ષયે કયો દાવ અજમાવ્યો છે. બીજી તરફ મુકેશે રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવવાનાં નિર્ણય કોર્ટમાં પડકાર્યો હતો. જોકે જજને પેનલે તેની અરજીને ફગાવી દીધી છે.
અક્ષયે સુપ્રિમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી
વિનય બુધવારે દયા અરજી દાખલ કરશે
ગુનેગારોને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે
સુપ્રિમ કોર્ટે પૂછ્યું કે...
અક્ષય સિંહે મંગળવારે સુપ્રિમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. અક્ષય ઉપરાંત વધું એક ગુનેગાર વિનય બુધવારે દયા અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે તિહાર જેલનાં અધિકારીઓને પુછ્યું કે ફાંસીની કઈ તારીખ સેશન કોર્ટે નક્કી કરી છે. શું કોઈ ડેથ વોરંટ જાહેર કર્યું છે? તિહાર જેલનાં અધિકારીઓ બુધવારે જવાબ આપશે.
મુકેશે રાષ્ટ્રપતિના દયા અરજી પરનાં નિર્ણયને પડકાર્યો હતો
બીજી તરફ મુકેશની અરજી પર સુપ્રિમ કોર્ટની સુનવણી પુરી થઈ ગઈ છે અને બુધવાર નિર્ણય આવી શકે છે. દયા અરજી વિરુદ્ધ તે કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. મુકેશે ડેશ વોરંટ પર સ્ટે લગાવવાની માંગણી કરી હતી. આ અરજીની સુનવણી 3 જજની પેનલે કરી. મુકેશે પોતાના સોગંદનામામાં એવો દાવો કર્યો હતો કે તેણે રેપ નથી કર્યો પરંતુ તે ઘટના સમયે ત્યાં હાજર હતો. સાથે તેણે એમ પણ કહ્યું કે ,તેની સાથે યૌન શોષણ થયું હતું. ઉલ્લેખનીય છે કેમ મુકેશની રિવ્યુ પિટીશન, ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજી ફગાવી દેવાઈ છે. આ બાદ મુકેશે રાષ્ટ્રપતિએ દયા અરજી પર ઉતાવળે નિર્ણય લીધો છે કહી તેમનાં નિર્ણયને પડકાર્યો હતો. જોકે જજને પેનલે તેને ફગાવી દીધી છે.
કોની પાસે ફાંસીને ટાળવાનાં કેટલા રસ્તા બચ્યા છે
વિનયની ક્યુરેટિવ પિટીશન થઈ ચુકી છે પણ દયા અરજી પર નિર્ણય બાકી છે. દયા અરજી ફગાવી દેવાય તો તેને ઉચ્ચ અદાલતમાં પડકારવાનો હક બચ્યો છે. પવને ઘટનાં સમયે સગીર હોવાનો સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો. જે કોર્ટે ફગાવી દીધો હતો. હવે તેની પાસે ક્યુરેટિવ પિટીશન, દયા અરજી અને દયા અરજીને ઉચ્ચ અદાલતમાં પડકારવાનો હક બચ્યો છે. આ ત્રણેય રસ્તા અક્ષય માટે પણ ખુલ્લા છે.
ફાંસી ટાળવાનાં મળતિયા પ્રયાસો
જે રીતે ગુનેગારો વકીલો સાથે મળીને વારાફરથી સમયાંતરે પોતાના કાયદાકીય હકોનો ઉપયોગ કરી રહ્યાં છે તે રીતે એવું લાગી રહ્યું છે જાણે કે ફાંસીને ટાળવાનું ષડયંત્ર હોય. પિટીશન મોડી થવાનાં કારણો સાથે નવી નવી પિટીશન દાખલ કરી રહ્યાં છે. તેઓ ફાંસીને ટાળવાનાં મળતિયા પ્રયાસો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયાનાં ગુનેગારોને 1ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.