નિર્ભયા ગેંગરેપના ચારેય ગુનેગારોની છેલ્લી ઈચ્છા પુછવામાં આવી હતી. ચારેય ગુનેગારોને 20 માર્ચની સવારે 5.30 વાગે ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યા છે. તેમના ચારેય ગુનેગારોએ બેબાકળા થઈ સમય પસાર કર્યો હતો. તેમને સીધા ફાંસીના માચડે લટકાવવામાં આવ્યા હતા. જાણો કેવી રહી તેમની આખી રાત અને તેમની અંતિમ ઈચ્છા શું હતી.
ગુનેગારોને કોઈ નુકસાન ન થાય તેની કરવામાં આવી હતી તૈયારી
જો આમ થશે તો અંતિમ સંસ્કાર જેલના નિયમો પ્રમાણે કરવામાં આવશે
2 ગુનેગારો રાતે ન જમ્યા તો ચારેયે સવારે નાસ્તો ન કર્યો
મુકેશના પરિવારે તેની સાથે મુલાકાત કરી હતી
ફાંસીની પહેલા ચારેય ગુનેગારોમાંથી ફક્ત મુકેશ અને વિનય જ રાતે જમ્યા હતા. પણ પવન અને અક્ષય રાતે જમ્યા નહોતા. ગુનેગારોના વકીલ એપી સિંહે ભલે આક્ષેપ લગાવ્યો કે ગુનેગારોના પરિવારને મળવા નથી દેવાતા. જ્યારે મુકેશના પરિવાર જનોને ફાંસીના કેટલાક કલાકો પહેલા તેની સાથે મુલાકાત કરવા દેવામાં આવી હતી.
તમામ સેલનો રસ્તો સીધો ફાંસી તરફ જતો હતો
ત્યારે બેચેની સાથે ગુનેગારોની આખી રાત વિતી હતી. આખી રાત કોઈ ગુનેગાર સૂતા નહોતા. ગુનેગારોને નાસ્તા માટે પૂછવામાં આવ્યું હતું પણ તેમણે ના પાડી દીધી હતી. ચારેય ગુનેગારો તિહાર જેલની નં-3માં રાખવામાં આવી હતી. જેમાંથી એક ગુનેગારોને વોર્ડ નં-1માં બીજાને 7નંબરના સેલમાં ત્યારે બાકીના બે ગુનેગારોને 8 નંબરના સેલમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ સેલનો રસ્તો સીધો ફાંસી તરફ જતો હતો
જોકે તેમણે અંતિમ ઈચ્છા દર્શાવી નહોતી
આખી રાત ચારેય ગુનેગારો પર સતત નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત 15 લોકોની ટીમ અલગથી ફરજ બજાવી રહી હતી. દરેક ગુનેગારોને ફાંસી પહેલા અંતિમ ઈચ્છા પુછવામાં આવી હતી. જોકે તેમણે અંતિમ ઈચ્છા દર્શાવી નહોતી. ગુનેગારોએ જેલમાં કમાયેલા પૈસા તેમના પરિવારને આપી દેવામાં આવ્યાં હતા. તેમના મોતની ખરાઈ કરાવાય બાદ ચારેયની લાશને દીન દયાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.ફાંસીની જાહેરાત જેલમાં કરાઈ હોવાથી બાકીના કેદીઓ પણ સૂઈ શક્યા નહોતા. તેઓની હિલચાલને પગલે જેલ લોકડાઉન કરવામાં આવી હતી. તિહાર જેલમાં પહેલી વાર એક સાથે ચાર ગુનેગારોને ફાંસી આપવામાં આવી હતી.
એક ગુનેગારે રડવાનું ચાલુ કરી માંફી માંગી હતી
ફાંસી આપતા પહેલા તિહાર જેલમાં કેટલાય અધિકારી ફાંસી ઘર પહોંચ્યા હતા. જેમની દેખરેખ હેઠળ ફાંસીની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. ફાંસી પર લટકતા પહેલા ગુનેગારોને સ્નાન કરાવવામાં આવે છે અને તેમના કપડા બદલવાનું કહેવામાં આવે છે. ગુનેગાર વિનયે કપડા બદલવાની ના પાડી દીધી હતી. એટલું જ નહી તેણે રડવાનું ચાલુ કરી માંફી માંગી હતી.
અંતિમ સંસ્કાર જેલના નિયમો પ્રમાણે કરવામાં આવશે
શુક્રવારે સવારે 8 વાગે તેમની લાશનું પોસ્ટ મોર્ટમ થશે. એ બાદ પરિવારોને તેમના અંતિમ સંસ્કાર માટે લાશ સ્વીકારવા માટે પૂછવામાં આવશે. જો તેઓ લાશ નહીં સ્વીકારે તો તેમના અંતિમ સંસ્કાર જેલના નિયમો પ્રમાણે કરવામાં આવશે.
જાણો, રાતે 12 વાગ્યાથી ફાંસી સુધી કેવો રહ્યો ઘટના ક્રમ
રાત્રે 12 વાગે
પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ રદ કરવાની અરજી ફગાવી દીધી. તો નિર્ભયાના ગુનેગારો પટિયાલા હાઉસ કોર્ટના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા. ત્યારે નિર્ભયાના માતા-પિતા પણ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા.
રાત્રે 12.20 વાગે
હાઈકોર્ટે ગુનેગારોનો પક્ષ રાખનાર વકીલની અરજી ફગાવી કહ્યું અરજીમાં કોઈ મેરિટ નથી. એ બાદ નિર્ભયાના ગુનેગારોની ફાંસી નક્કી થઈ ગઈ
રાત્રે 1.30 વાગે
ગુનેગારોના વકીલ એ.પી. સિંહ સુપ્રીમ કોર્ટ ગયા. એ.પી.સિંહ સુપ્રીમ કોર્ટના મેશનિંગ રજિસ્ટ્રારના ઘરે પહોંચ્યા. એ.પી. સિંહનો બેકઅપ પ્લાન પહેલાથી તૈયાર હતો. SCમાં રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવવાના નિર્ણયને પડકાર્યો. એ.પી.સિંહે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી.
અક્ષયના પરિવારે અક્ષયને સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે તિહાર જેલ તંત્રએ મળવાની મંજૂરી ન આપી
રાત્રે 3.56 વાગે
એ.પી. સિંહે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. મહિલાઓએ એ.પી. સિંહની ઝાટકણી કાઢી
સવારે 4.06 વાગે
નિર્ભયાની માતાએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. આશાદેવીએ કહ્યું, 20 માર્ચનો દિવસ નિર્ભયા દિવસ રૂપે માનવામાં આવશે.
સવારે 4.19 વાગે
તિહાર જેલમાં ફાંસીની તૈયારીઓ શરૂ થઈ. 15 લોકોની ખાસ ટીમ દ્વારા ફરજ બજાવાઈ. ચારેય ગુનેગારો પર ખાસ નજર રખાઈ રહી હતી
સવારે 4.26 વાગે
ફાંસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ગુનેગારોને અલગ અલગ ડેથ સેલમાં રખાયા. જેલ અધિકારીઓ પણ ગુનેગારો પાસે પહોંચ્યા
સવારે 4.40 વાગે
તિહાર જેલમાં લોકડાઉન કરાયું. જેલ બહાર અર્ધસૈનિક દળ ગોઠવવામાં આવ્યું. ગુનેગારોને નહાવા અને પ્રાર્થના કરવા કહેવાયું. જોકે ગુનેગારોએ નહાવા, પ્રાર્થના માટે ઈનકાર કર્યો
સવારે 4.47 વાગે
ફાંસી માટે 10 ફૂટનો માંચડો તૈયાર કરાયો. અધિકારીઓએ ફાંસી ઘરની મુલાકાત લીધી
સવારે 5.17 વાગે
DM તિહાર જેલ પહોંચ્યા. એક ગુનેગારો સાથે 6 સુરક્ષાકર્મી હાજર રહ્યા. ચારેય ગુનેગારોને ફાંસી ઘર લઈ જવાયા
સવારે 5.23 વાગે
આરોપીઓના મો પર કપડુ બાંધવાની તૈયારી શરૂ કરાયી. ગુનેગારોના હાથ પગ બાંધવામાં આવ્યા.