નિર્ભયા ગેંગરેપ મામલામાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ બોબડેએ ખુદને સુનાવણીથી અલગ કરી દીધા છે. સીજેઆઇએ અંગત કારણોસર આ નિર્ણય લીધો છે. હવે બુધવારે સુપ્રીમ કોર્ટની બીજી બેન્ચ તેના પર સુનાવણી કરશે.
નિર્ભયા ગેંગરેપ મામલામાં સીજેઆઇનો નિર્ણય
CJI એસએ બોબડેએ ખુદને સુનાવણીથી અલગ કર્યા
સીજેઆઇએ અંગત કારણોસર આ નિર્ણય લીધો છે
નવી પીઠનું ગઠન પણ બુધવારે જ કરવામાં આવશે. વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કાંડમાં દોષિત જાહેર કરાયેલા અક્ષય કુમાર સિંહની પૂનર્વિચાર અરજી પર મંગળવારે ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચ સુનાવણી કરવાની હતી.
Chief Justice of India (CJI) recuses himself from hearing the Nirbhaya rape case on personal grounds. https://t.co/vzclJUbgbf
અક્ષય સિંહ ચાર દોષિતોમાંથી એક છે, જેણે ફાંસીની સજા પર ફરી વિચાર કરવાની અરજી દાખલ કરી છે. આ પહેલા 9 જુલાઇ 2018એ સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપ મામલામાં ત્રણ દોષિતો મુકેશ, વિનય અને પવનની પૂનર્વિચાર અરજીઓ ફગાવી દીધી હતી.
દોષિત અક્ષય કુમારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પુનર્વિચાર અરજીમાં ઘણી અજીબોગરીબ દલીલ પણ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં વાયુ પ્રદુષણ ખતરનાક સ્તરે છે દિલ્હી ગેસ ચેમ્બરમાં બદલાઇ ગઇ છે. અહીંનું પાણી ઝેરીલું થઇ ચૂક્યું છે અને એવામાં જ્યારે ખરાબ હવા અને પાણીને પગલે ઉંમર ઓછી થતી જાય છે, તો ફાંસીની સજાની શું જરૂર છે.