નિર્ભયાકાંડનો ગુનેગાર પવનગુપ્તાના સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાની સાથે સાથે કોર્ટે વકીલનો ઉઘડો લીધો હતો. બન્ને પક્ષે દલીલો કરવામાં આવી હતી. જોકે પોલીસની કામગીરી અને તેમણે પુરાવા રજુ કરવામાં દાખવેલી ગંભીરતાથી પવન ગુપ્તા સગીર ન હોવાનું સાબિત થયું છે....
ગુનેગારોના માતા પિતાએ પણ પોલીસનાં પુરાવા સાચા હોવાની ખાતરી કરી
જન્મના પ્રમાણ પત્રથી ઉંમર નક્કી કરાઈ
નિર્ભયાનાં આરોપી પવનકુમાર ગુપ્તા ઘટનાં સમયે સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. દિલ્હી પોલીસ તરફથી એસજી તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ઘટના સમયે પવનકુમાર સગીર નહોતો. પવનનુ જન્મનુ પ્રમાણ પત્ર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું જેનાં આધારે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે સગીર નથી.
પોલીસની તપાસ મજબૂત સાબિત થઈ
ગુનેગારોએ 2013માં તપાસ અધિકારીએ રજુ કરેલા રિપોર્ટનો વિરોધ નહોતો કર્યો. તુષાર મહેતાએ વધુમાં કહ્યું હતું કે પોલીસે જાન્યુઆરી 2013માં ઉંમર વેરિફિકેશન સર્ટિફિકેટ દાખલ કર્યું હતું. જેની તેમનાં માતા પિતાઓ ખરાઈ કરી હતી.
બીજી તરફ બચાવ પક્ષનું કહેવું હતું કે પવનને ફસાવવામાં આવી રહ્યો છે. પીડિતાએ પવનનું નામ નહોતું લીધું. પોલીસે પવનની ઉંમરને લઈને જાણી જોઈને તથ્યોને નકાર્યાં છે. આ વાતને લઈને જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે તમે પુર્નવિચાર અરજીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેને સુપ્રિમ કોર્ટે 2018માં ફગાવી દીધો હતો. તમે ફરી આ મુદ્દો ઉઠાવી રહ્યાં છો. શું તમને ફરી આ પ્રકારની પીટિશનની મંજુરી મળવી જોઈએ? તમે આવી જ પીટિશન કરતા રહેશો તો આનો કોઈ અંત નહી આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને ફગાવી દીધો છે કેટલીવાર તમે આ મુદ્દો ઉઠાવશો. તેમજ કોર્ટે એમ પણ કહ્યું કે 10 જાન્યુઆરી 2013માં પવનના સગીર હોવાનો દાવો ફગાવી દીધો હતો. ત્યારે પવનના વકીલે એપી સિંહે કહ્યું કે તે સમયે પવન પાસે કોઈ વકીલ નહોતો.