અક્ષય સિંહે મંગળવારે સુપ્રિમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. અક્ષય ઉપરાંત વધું એક ગુનેગાર વિનય બુધવારે દયા અરજી દાખલ કરશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે તિહાર જેલનાં અધિકારીઓને પુછ્યું કે ફાંસીની કઈ તારીખ સેશન કોર્ટે નક્કી કરી છે. શું કોઈ ડેથ વોરંટ જાહેર કર્યું છે? તિહાર જેલનાં અધિકારીઓ બુધવારે જવાબ આપશે.
અક્ષયની ક્યુરેટિવ પિટીશન ફગાવાઈ
વિનયે માતા પિતાને આગળ ધરી દયા અરજી કરી
વિનયની દયા અરજીને આગળ ધરી ફાંસી પર સ્ટેની માંગણી
અક્ષયની ક્યુરેટિવ પિટીશન ફગાવાઈ
નિર્ભયાનાં ગુનેગારોનાં વકીલ એપી સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી 1 ફેબ્રુઆરી આપવામાં આવનારી ફાંસી પર સ્ટે માંગ્યો છે. ગુનેગાર વિનયની દયા અરજીને આધાર બનાવીને આ ફાંસી પર સ્ટે માટે અરજી કરવામાં આવી છે. આ પહેલા મુકેશની અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચુક્યા છે. એ બાદ વિનયે દયા અરજી કરતાં સવાલ પ્રશ્નો ઉદ્ભવ્યાં છે કે શું 1 ફેબ્રુઆરીએ નિર્ભયાનાં ગુનેગારોને ફાંસી નહીં આપવામાં આવે? આવો તર્ક એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કેમ કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને જોઈએ તો દયા અરજી ફગાવી દીધા બાદ ગુનેગારોને 14 દિવસનો સમય આપવામાં આવે છે.
અક્ષયની ક્યુરેટિવ પિટીશન ફગાવાઈ
નિર્ભયાના ગુનેગારો અક્ષયને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે અક્ષયની ક્યૂરેટિવ પિટિશન ફગાવી દીધી છે. 5 જજની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુનેગારો અક્ષયની ક્યૂરેટિવ પિટિશન ફગાવી દેવાઈ છે. આ જજની પેનલમાં જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંગટન ફલી નરીમન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણે હતાં. આ મામલે ગુનેગારનાં વકીલે કહ્યું ,કે અમને જજમેન્ટ અપાશે તેને જોઈ આગળની કાર્યવાહી પર વિચારીશું. તેઓએ કહ્યું કે દેશનાં રાષ્ટ્રપતિ ભગવાન નથી કે તેમનાથી કોઈ ભૂલ ન થાય. તો નિર્ભયાના માતા-પિતાએ કહ્યું કે, અમે હાર નહીં માનીએ 7 વર્ષથી અમે લડત લડી રહ્યાં છે. અમને ઉમ્મીદ છે કે કોર્ટ જે પણ કરશે સારું જ કરશે. દોષિતોને હવે ફાંસી થઈને જ રહેશે.
વિનયે રાષ્ટ્રપતિને કરેલી દયા અરજીમાં કહ્યું છે કે તે જેલમાં માનસિક રીત ત્રસ્ત થયો છે. તેમજ તેમણે અરજીમાં લખ્યું છે કે તે જીવવા નહોતો માંગતો પણ માતા પિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે દીકરા તને જીવતો જોઈને અમે જીવીએ છીએ. ત્યારથી મે મરવાનો વિચાર છોડી દીધો છે. વિનયની દયા અરજીમાં તેણે કહ્યું કે મારા માતા પિતાએ કહ્યું કે તુ અમારા માટે જીવતો રહે.