નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય દોષિતોને 7 જાન્યુઆરી સુધીનો સમય મળ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, હું આપ લોકોને (દોષિતો)ને પૂર્ણ સમય આપી રહ્યો છું. તેથી 7 જાન્યુઆરી સુધી સમય આપવામાં આવી રહ્યો છે. દોષિત જે પણ કાયદાકીય અને દયા અરજી જેવા વિકલ્પ ફોલો કરવા ઇચ્છતા હોય તો, કરી શકો છો. કોર્ટના નિર્ણય બાદ નિર્ભયના માતા રડી પડ્યા. તેઓએ કહ્યું કે તેમની પાસે તમામ અધિકાર છે, અમારા અધિકારોનું શું?
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય દોષિતોને 7 જાન્યુઆરી સુધીનો સમય મળ્યો છે
નિર્ભયાના માતાએ કહ્યું, અમારા અધિકારોનું શું?
સુપ્રીમ કોર્ટે એક દોષિત અક્ષયની પુનર્વિચાર અરજી ફગાવી
આ પહેલા ફાંસીની સજા મેળવનાર ચાર માંથી એક દોષિત અક્ષયની પુનર્વિચાર અરજીને બુધવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. જસ્ટિસ આર. ભાનુમતિની અધ્યક્ષતા વાળી પીઠે કહ્યું કે અક્ષયની પુનર્વિચાર અરજી અન્ય દોષિતોની અરજીઓની સમાન હતી, જેને સુપ્રીમ કોર્ટે 2018માં જ રદ્દ કરી ચુકી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સજાની પુનર્વિચાર અરજીમાં અમને કોઇ આધાર ન જોવા મળ્યો. જસ્ટિસ ભાનુમતિએ કહ્યું કે પીઠે એ તર્ક પર વિચાર કર્યો, જેમા અરજીકર્તાઓએ પુરાવા એકઠા કરવાની માંગ કરી હતી અને તેની મંજુરી નહોતી આપવામાં આવી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, આ તર્કો પર પહેલા વિચાર કરવામાં આવ્યો છે. તેની મંજુરી ન આપવામાં આવી શકે. આ તમામ પર ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વિચાર કરવામાં આવી ચૂક્યો છે. જસ્ટિસ ભાનુમતિએ કહ્યું કે, કોર્ટે પુનર્વિચાર માટે નિયત નિયમોના માપદંડોના અંતર્ગત મામલાની સમીક્ષા કરી. તેઓ હવે આ મામલા પર ફરીથી સુનાવણી કરી રહ્યા નથી.