નિર્ભયા દુષ્કર્મ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી ટાળી દેવામાં આવી છે. કોર્ટમાં જજે કહ્યું છે કે મને સુપ્રીમમાંથી જાણકારી મળી છે કે અક્ષયની પુનર્વિચાર અરજીને સ્વીકારી લેવામાં આવી છે અને તેની પર 17 ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવશે. આજે સુનાવણી ટાળી દેવાતાં હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
નિર્ભયાના દોષિતોને ફાંસી ક્યારે?
17 ડિસેમ્બરે અક્ષયની દયા અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
18 ડિસેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટમાં થશે સુનાવણી
નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી ટાળી દેવામાં આવી છે. આરોપીઓના ડેથ વોરંટ જાહેર કરવાની માંગને લઈને જજે કહ્યું કે મને સુપ્રીમ કોર્ટથી જાણકારી મળી છે કે અક્ષયની પુનર્વિચાર અરજીને સ્વીકારી લેવામાં આવી છે. તેની પર 17 ડિસેમ્બરે સુનાવણી થશે. હવે આ કેસમાં 18 ડિસેમ્બરે સુનાવણી થશે.
ફાંસીની તારીખ નક્કી થાયઃ નિર્ભયાના વકીલ
સુરક્ષાના કારણોથી ચારેય આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી સમયે નિર્ભયાના વકીલે કહ્યું કે ફાંસીની તારીખ નક્કી થવી જોઈએ. દયા અરજી રજૂ કરવાને અને ડેથ વોરંટ જાહેર કરવાને કોઈ સંબંધ નથી. દયા અરજી લગાવવાના કારણે ડેથ વોરંટને રોકી શકાય નહીં. જો સુપ્રીમ કોર્ટ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવા જઈ રહ્યું છે તો તેઓ ડેથ વોરંટને સ્થગિત કે સ્ટે કરી શકે છે. અન્ય 3 આરોપીઓની પુનર્વિચાર અરજી નકારી દેવામાં આવી છે. તેમને ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવાનો અધિકાર નથી.
જજે સુપ્રીમ કોર્ટમાં કહી આ વાત
જજે કહ્યું કે જ્યાં સુધી પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે ત્યાં સુધી કોર્ટ ડેથ વોરંટ જાહેર કરી શકે નહીં. નિર્ભયાના વકીલ યાકૂબ મેમન કેસનું ઉદાહરણ આપ્યું. જજે તેને લઈને કહ્યું કે યાકૂબ મેમન કેસમાં કોઈ પુનર્વિચાર યાચિકા લંબિત નથી.
નિર્ભયાની માતાએ રડતાં રડતાં પૂછ્યું કે આરોપીઓને ફાંસીની સજા ક્યારે મળશે. 16 ડિસેમ્બરે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની અટકળો હતી પણ હાલમાં તો એક વાત સામે આવી રહી છે કે નિર્ભયાના એક ગુનેગારને હવે 17 ડિસેમ્બર સુધી ફાંસી થશે નહીં.
અક્ષયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પુનર્વિચાર અરજી
નિર્ભયાના એક ગુનેગાર અક્ષય કુમાર સિંહે પોતાની ફાંસીની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દયા અરજી દાખલ કરી છે. અક્ષયની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 17 ડિસેમ્બરે સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ ગેંગરેપ બાદ નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ જોર પકડી રહી છે.
નિર્ભયાની માતાએ સિસ્ટમને ઠેરવી જવાબદાર
નિર્ભયાની માતાએ 7 વર્ષથી ચાલી રહેલા ન્યાયને માટે રાહ જોવડાવી રહેલી સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. નિર્ભયાની માતાએ અક્ષયની પુનર્વિચાર અરજી સ્વીકાર કરવાને લઈને પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.