પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગાર વિનય શર્માની અરજી ફગાવી દીધી છે. અદાવતે કહ્યું કે તિહાડ જેલના રિપોર્ટ મુજબ ગુનેગાર વિનય શર્માની માનસિક હાલત સારી છે. તેની માનસિક સ્થિતી સારી છે. તેને સારવારની જરુર નથી. પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલ તંત્રએ નિર્ભયાના તમામ ગુનેગારોનો મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો હતો.
વિનયે માનસિક સ્થિતિ સારી ન હોવાનો ઢોંગ કર્યો
કોર્ટે તેની માનસિક હાલત સારી છે કહી અરજી ફગાવી
જેલ તંત્રએ મેડિકલ રિપોર્ટ રજુ કર્યો હતો
માનસિક સારવાર કરાવવા માટે અરજી કરી હતી
નિર્ભયા કાંડના નરાધમ વિનયની અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. દોષિત વિનયે સારવાર કરાવવાનું કારણ આગળ ધર્યું હતું. પરંતુ તેને કોર્ટે ફગાવી દીધું છે. પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનું કારણ ધરી સારવાર કરાવવા માટે અરજી કરી હતી.
ડેથ વોરંટ પણ નીકળી ગયું છે
જોકે કોર્ટે આદેશ કર્યો કે જેલ તંત્ર ગુનેગાર વિનયની સારવાર સુનિશ્ચિત કરે. ઉલ્લેનીય છે કે ફાંસીથી બચવા માટે ગુનેગારો નવા નવા પેંતરા અપનાવી રહ્યા છે. 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. ડેથ વોરંટ પણ નીકળી ગયું છે.
વિનય તેની માતાને પણ ઓળખી નથી શકી રહ્યો
તિહાડ જેલમાં વકીલે કોર્ટને કહ્યું કે વિનયના હાથ પર કોઈ ઈજા નથી થઈ રેડિયોલોજિસ્ટે રિપોર્ટ તૈયાર કરી છે. તિહાર જેલમાં ગુનેગારોનું રોજ ચેકઅપ થાય છે. તિહાર સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી હેઠળ તેમની નજર હેઠળ ગુનેગારોની માનસિક અને શારીરિક સ્થિતિની તપાસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે ગુનેગારોના વકીલે કહ્યું કે વિનય તેની માતાને પણ ઓળખી નથી શકી રહ્યો.