નિર્ભયા ગેન્ગરેપના દોષિત મુકેશ કુમારની અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે. દોષિત મુકેશે ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગ કરી છે. મુકેશે કહ્યું છે કે તેની દયા અરજી હાલ રાષ્ટ્રપતિની પાસે લંબિત છે, તેથી ડેથ વોરન્ટ રદ્દ કરવામાં આવે. સુનાવણી દરમિયાન દિલ્હી એએસજી અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપી ન શકાય. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર નિર્ણય સંભળાવ્યા બાદ દોષિતોને 14 દિવસનો સમય આપવો પડશે.
સુપ્રીમ કોર્ટમાંથી ફગાવી દેવામાં આવી છે ક્યૂરેટિવ અરજી
મુકેશની તરફથી વરિષ્ઠ વકીલ રિબાકા જૉન કેસ લડી રહી છે
દોષિત મુકેશે ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગ કરી
મુકેશની તરફથી વરિષ્ઠ વકીલ રિબાકા જૉન કેસ લડી રહી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની પીઠે મુકેશની ક્યૂરેટિવ અરજી ફગાવી દીધી હતી. 18 ડિસેમ્બરે તિહાડ જેલ ઓથોરિટીએ તમામ દોષિતોને નોટિસ જાહેર કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આપ ઇચ્છો તો 7 દિવસની અંદર દયા અરજી દાખલ કરી શકો છો. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન બે દોષિતોની તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના કેસ પર પણ ધ્યાન આપવામાં આવે.
મુકેશની વકીલ રિબાકા જૉને કહ્યું કે, જો અમે 18 ડિસેમ્બરના આદેશ પર દયા અરજી દાખલ કરવા માટે 7 દિવસની નોટિસ આપીએ તો 25 ડિસેમ્બરે તે સમાપ્ત થઇ જાય છે. પરંતુ એમિકસને દોષિતને મળવાની અનુમતિ 30 તારીખ આપવામાં આવી અને દોષિતે તાત્કાલિક બતાવ્યું કે તે એક ક્યૂરેટિવ ફાઇલ કરવાનો ઇરાદો રાખે છે.
સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીથી કાગળો મળ્યા બાદ 2 દિવસની અંદર ક્યૂરેટિવ અરજી દાખલ કરવામાં આવી. ક્યૂરેટિવ અરજી ફગાવાયા બાદ દયા અરજી કરવા માટે અમે એકપણ દિવસની રાહ જોઇ નથી. હું રાષ્ટ્રપતિને આવેદન પર વિચાર કરવા માટે કહી રહી છું. દયા અરજી રાષ્ટ્રપતિનં બંધારણીય કર્તવ્ય છે અને આ કોઇ અનુગ્રહનું કામ નથી.
તેના પર હાઇકોર્ટે કહ્યું કે, આપની અપીલ એપ્રિલ 2017માં ફગાવી દેવાઇ હતી, ત્યારે તમે અઢી વર્ષ સુધી રાહ જોઇ. એક સમીક્ષા અરજી દાખલ ન કરી, કોઇ ક્યૂરેટિવ પણ ફાઇલ નથી કરી. શું આપને તે દાખલ કરવા માટે રોકવામાં આવ્યા હતા ? કોર્ટે કહ્યું કે કોઇ ડેથ જાહેર થવા સુધી દયા અરજી દાખલ કરવાની રાહ કેમ જોશે. દોષિતને કોર્ટમાં જવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો છે.