નિર્ભયા ગેંગરેપ મામલામાં ચારેય દોષિતોને શુક્રવાર સવારે સાડા પાંચ કલાકે તિહાડ જેલમાં ફાંસી આપ્યાં બાદ ડૉકટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. જેલના એક અધિકારીએ આ અંગેની જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે ચારેય દોષિતોના મૃતદેહ અડધા કલાક સુધી ફાંસીના માંચડે ઝુલતા રહ્યાં છે.
નિર્ભયા કેસના દોષિતોને તિહાડ જેલમાં ફાંસી અપાઇ
ફાંસી બાદ આરોપીને ડૉકટરોએ મૃત જાહેર કર્યાં
તિહાડ જેલમાં કેટલાક કેદીએ પરિસ્થિતિ ખરાબ કરવાનો કર્યો પ્રયત્ન
જેલના મહાનિદેશ સંદીપ ગોયલે જણાવ્યું કે ડૉકટરે તપાસ કરી અને ચારેયના મૃત જાહેર કર્યાં. જ્યારે અન્ય મળતા એક અહેવાલ મુજબ જ્યારે તિહાડ જેલમાં નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે જેલમાં કેટલાક કેદીઓએ પરિસ્થિતિ ખરાબ કરાવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે જેલની અંદર સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલા તામિલનાડુ પોલીસ દ્વારા અંદર ફલેગ માર્ચ કરવામાં આવ્યું. ફાંસી બાદ તિહાડ જેલમાં લૉકડાઉન ખત્મ કરવામાં આવ્યું અને દરેક જેલના લૉકઓપને ખોલવામાં આવ્યાં.
એક મળતાં અહેવાલ મુજબ ફાંસીના પહેલા તિહાડમાં કેદીઓ સમય કરતાં પહેલા વધારે જાગી ગયા. જો કે તિહાડના ઇતિહાસમાં પહેલી વખત ચાર દોષિઓને ફાંસી આપવામાં આવી. ફાંસીનો સમય પહેલાંતી જ નિશ્ચિત હતો, જેના કારણે બાકી કેદીઓ પણ સુઈ શક્યાં નહોતાં. જેલને પહેલા લૉકડાઉન કરવામાં આવી. જ્યારે જેલ અધિકારીઓએ ફાંસી ઘરની સમીક્ષા કરી. બધા દોષિઓને ફાંસી અંગે જણાવામાં આવ્યું. નિર્ભયાના ચારેય દોષીતો રાતભર સુઇ શક્યાં નહીં. બધા દોષીતોનું મેડીકલ ચેકઅપ કરાયું હતું.
ફાંસી લગાવાની ઘટનાને માત્ર 5 લોકો જ જોઇ શક્યાં. જેમાં જેલ સુપ્રિટેંડેન્ટ, ડેપ્યુટી સુપ્રિટેંડેન્ટ, મેડિકલ ઓફીસર RMO અને વિસ્તારમાં મેજિસ્ટ્રેટ (જ્જ) તેમજ અન્ય સ્ટાફ સામેલ થયા. જો કે ફાંસીની સજા પામના દોષી ઇચ્છે તો તેમના ધર્મના ધર્મગુરૂ પણ હાજર રહી શકે છે, પરંતુ આ દોષીઓએ એવી કોઇ ડિમાન્ડ કરી નહોતી.
બધા દોષીઓને લૉક અપમાંથી બહાર નીકાળવામાં આવ્યાં, બધાને જેલ નંબર 3ની અલગ-અલગ સેલમાં બંધ કરાયા હતા. આ જેલમાં જ ફાંસી આપવાની હતી. બધા દોષીઓને જેલ સુપ્રિટેંડેન્ટ અને સુરક્ષા સ્ટાફ ફાંસી ઘરની તરફ લઇ જવામાં આવ્યાં અને ફાંસીના તખ્તા પાસે ઉભા રખાયા હતા. સવારે સાડા પાંચ વાગે દોષીઓને ફાંસી આપવામાં આવી.