નિર્ભયાના બળાત્કારીઓમાંના એક, વિનય શર્માની માતા તેમના પુત્રને 'પુરી, શાક, કચોરી' ખવડાવવાની છેલ્લી ઇચ્છા ધરાવે છે. આવતીકાલે શુક્રવારે ચારેય આરોપીઓને ફાંસી આપવાની છે. 5મી માર્ચે નીચલી અદાલતે મુકેશસિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષયકુમાર સિંહ (31) ને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ બહાર પાડ્યું હતું.
ફાંસીના કલાકો નજીક આવી રહ્યા છે અને આ છેલ્લી ઈચ્છા પુરી થાય તેવી સંભાવના નહિવત જણાઈ રહી છે. કાલે સાડા પાંચ વાગે સવારે આ નરાધમોને ફાંસી આપવામાં આવશે.
આજ થી સાત વર્ષ અને ત્રણ મહિના પહેલા, 16 ડિસેમ્બર 2012 ની રાત્રે, આ નરાધમોને એક યુવતીની બળાત્કાર અને હત્યા બદલ આ સજા આપવામાં આવી હતી. આ યુવતીની ઓળખ વિશ્વવ્યાપી રીતે ' નિર્ભયા ' તરીકે થઈ છે. જે મહિલા પોતાનું નામ જાહેર કરવાનો ઇનકાર કરે છે અને ફક્ત ' વિનય શર્મા ની માતા ' ના નામથી ઓળખવાની ઇચ્છા રાખે છે, તે હવે ફાંસી વચ્ચે કોઈ વિઘ્ન ન બચતા વધુ નિરાશ છે.
'... હું વિનયની માતા છું'
મહિલાએ દક્ષિણ દિલ્હીના રવિદાસ કેમ્પમાં તેના ઘરની બહાર કહ્યું, 'તમે કોણ છો? તમે શું કરવા માંગો છો? અંદર કોઈ નથી. મારા પતિ કામ પર ગયા છે હું વિનયની માતા છું. ' સાંકડી શેરીઓ, જર્જરિત ઝૂંપડપટ્ટીઓ અને ખુલ્લી ગટરની વચ્ચે, આ ઝૂંપડપટ્ટી વસાહત એ આ ગુનાના છ દોષિતોમાંથી ચારનું ઘર છે. અને ક્યાંક આ સાંકડી શેરીઓની અંદર વિનય શર્મા નું ઘર છે. ઘરની બહાર 50 વર્ષની ઉંમરની પરંતુ તેની ઉંમર કરતા ઘણી વધારે વૃદ્ધ દેખાતી સ્ત્રી કપડા ધોએ છે.
'બધી ભગવાનની ઇચ્છા હોય છે'
મહિલાએ ગુસ્સે થતા મીડિયાને કહ્યું, 'તમે શું લખશો? શું તમારા લખાણથી કંઈ થાય છે? શું તમારા લેખનથી હજી સુધી કંઈ થયું છે? ભગવાનની ઇચ્છા હોય તો તે બચી જશે. ' તેણે કહ્યું, 'બઘી ભગવાનની ઇચ્છા છે. કોરોના વાયરસ જુઓ. ભગવાન છે જે બધું જ નક્કી કરે છે કે કોણ જીવશે અને કોણ મરી જશે. તે માણસના નિયંત્રણમાં નથી. ન તમે કે ના હું.'
સુપ્રીમ કોર્ટે બધી અરજી ફગાવી છે
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે નિર્ભયાના આરોપી પવન ગુપ્તા ની ક્યુરેટીવ પિટિશન ફગાવી દીધી છે. કોર્ટે અપરાધ સમયે પવનની સગીર હોવાની દલીલ ફગાવી દીધી છે. આ સાથે જ નરાધમોના બધા જ બહાના પુરા થયા છે અને હવે તેમને ફાંસી નિશ્ચિત હોય તેમ જણાઈ રહ્યું છે.