પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના એક અન્ય દોષિત મુકેશ સિંહની અરજી પર સુનાવણી દરમિયાન દોષિતોની ફાંસી પર સ્ટે લગાવી દીધો છે. તેનો અર્થ છે કે હવે દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર લટકાવવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે જેલ અધિકારીઓએ રિપોર્ટ આપવી પડશે કે તેઓ 22 જાન્યુઆરીએ ફાંસી નહીં આપે.
પટિયાલા હાઉસ કોર્ટેના જજે કહ્યું, દોષિતોની રિપોર્ટ આપે જેલ અધિકારી
આ રિપોર્ટ શુક્રવારે કોર્ટની સમક્ષ દાખલ કરવાની છે
જેલ અધિકારીઓએ નવા વોરન્ટ માટે ફરીથી કોર્ટમાં જવુ પડશે
દિલ્હી સરકારે ગુરુવારે કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કરી છે, જેમા કહેવામાં આવ્યું છે કે, અમે મુકેશની અરજી ફગાવીને એલજીની પાસે મોકલી દીધી છે. હવે કોર્ટે જે વિસ્તૃત રિપોર્ટ માંગી છે, તેમા તમામ જાણકારીઓને દિલ્હી સરકાર અને જેલ ઓથોરિટીએ કોર્ટમાં આપવી પડશે.
નિયમો હેઠળ જેલ અધિકારીઓએ કોર્ટ અને રાજ્ય સરકારને સૂચિત કરવું પડશે કે દયા અરજી દાખલ કરવામાં આવી છે અને ફાંસીની સજાને સ્થગિત કરવાની છે. જેલ અધિકારીઓએ રિપોર્ટ દાખલ કરવી પડશે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય નથી આપવામાં આવતો, ત્યાં સુધી ગૂનેગારોને ફાંસીની સજા નહીં આપવામાં આવે. આ રિપોર્ટ શુક્રવારે કોર્ટની સમક્ષ દાખલ કરવાની છે.
કોર્ટે જેલ અધિકારીઓ પાસેથી નિર્ભયા ગેન્ગરેપ મામલામાં દોષિત અક્ષય, વિનય અને પવન સાથે જોડાયેલા 2012 સુધીના તમામ કાગળ અને રિપોર્ટ સોંપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આ મામલામાં જેલ ઓથોરિટી એક વિસ્તૃત રિપોર્ટ દાખલ કરે. કોર્ટ આ મામલામાં શુક્રવારે ફરી સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન જજે કહ્યું, દિલ્હી જેલના નિયમો અનુસાર દોષિતોને 14 દિવસનો સમય આપવામાં આવશે. ઉપરાંત જો રાષ્ટ્રપતિ દયા અરજી ફગાવે છે, તો તેણે નવું વોરન્ટ પ્રાપ્ત કરવું પડશે. તેમને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા ન આપવામાં આવી શકે. જેલ અધિકારીઓએ નવા વોરન્ટ માટે ફરીથી કોર્ટમાં જવુ પડશે.
જસ્ટિસે કહ્યું કે, ભલે કાલે દયા અરજી ફગાવી દેવામાં આવે. બીજાઓએ હજુ સુધી દયા અરજી દાખલ કરી નથી. અનુમાન છે કે તેઓ દયા અરજી દાખલ નહીં કરે. જજે કહ્યું કે, અમને જેલ તરફથી માત્ર રિપોર્ટ જોઇએ કેમકે જેલ અધિકારીઓએ હજુ સુધી નથી બતાવ્યું કે દયા અરજી પેન્ડિંગ છે.