નિર્ભયા કેસમાં ગુનેગારો વારંવાર કોઈને કોઈ તરકીબ કરીને ફાંસીથી બચવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં વિનયએ માનસિક સ્થિતિ સારી ન હોવાનું બહાનું કાઢીને ફાંસીમાંથી મુક્તિ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાષ્ટ્રપતિએ તે અરજી ફગાવ્યાં બાદ તેમના નિર્ણયને પણ પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી.
પવન પાસે ક્યુરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ બાકી છે
મુકેશ, વિનય, અક્ષયના દરેક કાયદાકીય વિકલ્પ પુરા
વિનયની શારીરિક -માનસિક સ્થિતિ ઘણી સારી છે.
કોર્ટે અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે નિર્ભયાનાં ગુનેગાર વિનયની અરજી ફગાવી દેતા નોંધ્યો હતું કે, ‘નવા મેડિકલ રિપોર્ટ પ્રમાણે વિનયની શારીરિક સ્થિતિ સારી હોવાની સાથે સાથે તેની માનસિક સ્થિતિ પણ ઘણી સારી છે.’
પવન માટે નવા વકીલ નિમણૂક કરાયી પણ પવને જાણી જોઈને તે સ્વીકારવાની ના પાડી
ટ્રાયલ કોર્ટે નિર્ભયા કેસમાં ગુનેગાર પવને વકીલ ન હોવાનું રટણ કરતા પવન ગુપ્તા માટે ગુરુવારે નવા વકીલની નિમણૂક કરી હતી. જોકે પવને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) દ્વારા આપવામાં આવેલા વકીલની સેવા લેવાનો ઈન્કાર કરી દીધો છે.
કોર્ટ પવનથી નારાજગી વ્યક્ત કરી
પવની આ હરકતોને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે કે, ‘પવન જાણી જોઈને લીગલ પ્રક્રિયામાં વાર કરી રહ્યો છે. મુકેશ, અક્ષય, વિનય તેમના દરેક કાયદાકીય વિકલ્પ વાપરી ચૂક્યા છે. માત્ર પવન જ એવો છે કે તેની પાસે હજી ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજીનો વિકલ્પ બાકી છે.
નવાં ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરાઈ
પવને કોર્ટમાં કહ્યું છે કે, તેણે તેના જૂના વકીલ રદ કરી દીધા છે અને નવા વકીલની પસંદગી કરવા માટે તેને સમયની જરૂર છે. કોર્ટે નિર્ભયાનાં પરિવારજનો અને દિલ્હી સરકારની તે અરજી પર સુનાવણી કરી હતી જેમાં ગુનેગારોને ફાંસી માટે નવાં ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરાઈ છે. આ પીટિશનમાં હવે કોર્ટ 17 જાન્યુઆરીએ સુનાવણી કરશે.