નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી થશે અથવા એક સાથે કેન્દ્રની આ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ 5 માર્ચ સુધી સુનાવણી ટાળી દીધી છે. આ સુનાવણીના ટળી જવાથી ફરી એક વાર સવાલ ઉભા થયા છે કે શું ત્રણ માર્ચે દોષિતોને ફાંસી થશે.
નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી થશે કે નહીં તેના પર SC 5 માર્ચે સુનાવણી ટાળી
નિર્ભયા કેસમાં ત્રણ દોષિતોના તમામ કાયદાકીય વિકલ્પ પૂર્ણ થઇ ચૂક્યા છે
સરકારની કોર્ટેને અપીલ, જે દોષિતોના વિકલ્પ સમાપ્ત થઇ ચૂક્યા છે, તેમને ફાંસી આપવામાં આવે
નિર્ભયા કેસમાં ત્રણ દોષિતોના તમામ કાયદાકીય વિકલ્પ પૂર્ણ થઇ ચૂક્યા છે અને ચોથા દોષી પવન પોતાનો વિકલ્પ ઉપયોગ કરવા માટે ઇચ્છુક નથી લાગતો. એવામાં દોષિતોની ત્રણ માર્ચે ફાંસી લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ એસ બોપન્નાની પીઠે સવારે 10.30 વાગ્યે આ મામલાની સુનાવણી કરી. જસ્ટિસ ભાનુમતિના અવકાશ હોવાને કારણે ગત સપ્તાહે આ મામલાની સુનાવણી થઇ શકી નહોતી. આ મામલામાં કોર્ટે પહેલા જ ચારેય દોષિતોને નોટિસ જારી કરી ચૂકી છે.
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે ચારેય દોષિતો ષડયંત્ર હેઠળ એક પછી એક પોતાના કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યા છે. ચારેય દોષિતો કાયદા સાથે રમત રમી રહ્યા છે.
સરકારે કોર્ટે અપીલ કરી છે કે જે દોષિતોના કાયદાકીય વિકલ્પ સમાપ્ત થઇ ચૂક્યા છે, તેમને ફાંસી આપી દેવામાં આવે. આ પહેલા, હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ચારેય દોષિતોને સાથે જ ફાંસી આપવામાં આવશે. કોર્ટે દોષિતોને તમામ ઉપલબ્ધ વિકલ્પ ઉપયોગ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.