નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના એક દોષિત અક્ષય ઠાકુરે દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. અક્ષય ઠાકુરે શનિવારે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલી હતી. રાષ્ટ્રપતિએ અક્ષય ઠાકુરની દયા અરજીને ફગાવી દીધી છે.
નિર્ભયાના દોષિત અક્ષયે રાષ્ટ્રપતિએ ન આપી રાહત
શનિવારે રાષ્ટ્રપતિની પાસે મોકલી હતી દયા અરજી
નિર્ભયાના એક દોષિતે લગાવી હતી ફાંસી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અત્યાર સુધી 4 દોષિતોમાંથી 3ની દયા અરજી ફગાવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિની પાસે નિર્ભયાના દોષી મુકેશ, વિનય અને અક્ષય ઠાકુરે દયા અરજી મોકલી હતી જેને તે ફગાવી ચૂક્યા છે. દોષિતોમાં માત્ર પવન ગુપ્તાએ અત્યાર સુધી પોતાની અરજી રાષ્ટ્રપતિ કોવિંદને મોકલી છે. હવે માત્ર એક દોષિત પવન ગુપ્તાએ અત્યાર સુધી પોતાની અરજી રાષ્ટ્રપતિ કોવિંદને નથી મોકલી. હવે માત્ર એક દોષિત પવનની પાસે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે.
નિર્ભયાની સાથે 16 ડિસેમ્બર 2012ની રાત્રે ચાલતી બસમાં ગેંગરેપ કર્યોહતો. ગેંગરેપના એક અઠવાડિયા બાદ સિંગાપુરની એક હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું. દક્ષિણ દિલ્હીમાં થયેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.
નિર્ભયા ગેંગરેપ કેસ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા જ્યાર બાદ રેપ અને મહિલા ગુનાઓ સંબંધિત કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નિર્ભયા ગેંગરેપ અને મર્ડર મામલે મુકેશ, વિનય, અક્ષય, રામસિંહ અને એક કિશોરને આરોપી બનાવવામાં આવ્યો હતો.
નિર્ભયાના એક દોષિતે લગાવી હતી ફાંસી
માર્ચ 2013માં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેની સુનાવણી શરૂ થઇ ગઇ હતી. આ મામલે મુખ્ય આરોપીઓમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં કથિતરીતે આત્મહત્યા કરી લીધી હતી. રામ સિંહે ત્યારે આત્મહત્યા કરી હતી જ્યારે મામલાની સુનાવણી શરૂ થઇ હતી.
નિર્ભયાના એક સગીર દોષિતને છોડી દેવાયો હતો
નિર્ભયાની સાથે ક્રૂરતા કરનારાઓમાંથી એક સગીર દોષિતને 3 વર્ષની સજા કાપ્યા બાદ વર્ષ 2015માં છોડી દેવાયો હતો. દોષિ કિશોરને સુધારગૃહમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે નાબિલ રિહા ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી.