નિર્ભયા ગેંગ રેપ અને મર્ડર કેસમાં પટીયાલા હાઉસ કોર્ટે ગઇ કાલે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરંટ જારી કર્યું હતું. છેલ્લા 41 દિવસમાં આ ત્રીજુ ડેથ વોરન્ટ છે. તેમા ચારેય દોષિયોને 3 માર્ચની સવારે 6 વાગે ફાંસી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે ચારેય દોષિતો પૈકી એક પાસે હજુ પણ દયા અરજી અને ક્યુરેટીવ પિટીશનનો વિકલ્પ છે.
ચારેય દોષિતો માટે ત્રીજું ડેથ વોરંટ જારી
૩ માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવાનો આદેશ
એક દોષિત પાસે દયા અરજી અને ક્યુરેટિવ પિટીશનનો વિકલ્પ છે
આ બન્ને વિકલ્પ નકારવામાં આવ્યા બાદ પણ દોષિત નવેસરથી રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી મોકલી શકે છે. દોષિતો સામે એક કેસ દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, જેના પર ચુકાદો ન આવે ત્યાં સુધી ફાંસી થઈ શકતી નથી. આ વાત છેલ્લા 7 વર્ષથી નિર્ભયાના દોષિતો માટે કેસ લડી રહેલા વકીલ એ.પી. સિંહે કહી છે. તેમણે જણાવ્યું હતું કે લખીને રાખો કે 3 માર્ચના રોજ ફાંસી નહીં થાય.
એ.પી. સિંહે જણાવ્યું હતું કે, હું ક્લાયન્ટને મળીશ. તમામ કાયદાકીય વિકલ્પ પર વાતચીત કરીશ અને ત્યાર બાદ તેઓ જે પણ ઈચ્છે, તેમનો પરિવાર જે ઈચ્છે તે કરશું. હજુ પણ અનેક કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ છે. તમામ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પાસે ફરી વખત દયા અરજી મોકલવામાં આવશે અને નકારવાના સંજોગોમાં જે પણ વિકલ્પ હશે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.
શું આગળ એક-એક કાયદાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે, શું ચારેય અરજી એક સાથે મોકલી શકાય નહીં? આ અંગેના જવાબમાં દયા અરજી માટે તમામ ક્લાઈન્ટનો આધાર અલગ-અલગ હોય છે. તો આ સંજોગોમાં એક-એક કરી રહી છે કે અરજી લગાવવામાં આવશે.