નિર્ભયા દૂષ્કર્મ કેસ તેમજ હત્યાકાંડના ચારેય દોષીઓમાંના એક દોષીત મુકેશની દયા અરજીને ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલી દીધી હતી. જો કે દોષીત મુકેશની દયાની અરજી રાષ્ટ્રપતિએ નામંજૂર કરી દીધી છે. આ સાથે ગૃહ મંત્રાલયે પણ રાષ્ટ્રપતિને આ અરજીને નામંજૂર કરવાની ભલામણ પણ કરી હતી.
રાષ્ટ્રપતિએ દયાની અરજી રાષ્ટ્રપતિએ નામંજૂર કરી
ગૃહ મંત્રાલયે સજા યથાવત્ રાખવા કરી ભલામણ
કોર્ટે જારી કર્યું હતું ડેથ વોરંટ, 22મીએ થવાની હતી ફાંસી
નિર્ભયા કેસના ચારેય દોષિતોને ગુરૂવારના રોજ તિહાડ જેલ પરિસરમાં કારાગૃહ નંબર ત્રણમાં સ્થળાંતર કરવામાં આવ્યાં, જ્યાં તેમને ફાંસી પર લટકાવામાં આવવાના છે. આ મામલાના દોષિત વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, મુકેશ કુમારસિંહ અને પવન ગુપ્તાને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની છે.
જો કે દિલ્હી સરકારે બુધવારના રોજ કોર્ટને જણાવ્યું હતું કે એક દોષીની દયાની અરજી હાલમાં પેન્ડિંગ હોવાના કારણે ફાંસીને સ્થગિત કરવામાં આવ હતી.
નિર્ભયા દૂષ્કર્મ અને હત્યાકાંડના દોષિઓને ફાંસીમાં મોડુ થવા પર ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળ્યો, જ્યાં ભાજપે ફાંસીમાં મોડુ થવા પર દિલ્હી સરકારની સંડોવણી અને બેદરકારીની વાત કહી, તો બીજી તરફ 'આપ' પાર્ટીએ ભાજપ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતાં કહ્યું કે કાયદો વ્યવસ્થા કેન્દ્રની પાસે છે.
નિર્ભયા મામલાના એક દોષી મુકેશે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરીને ફાંસીની સજા માફ કરવાનો આગ્રહ કર્યો છે. મુકેશની અરજીને જેલ પ્રશાસને દિલ્હી સરકાર પાસે મોકલી હતી. આ અરજીને દિલ્હી સરકારે નામંજૂરી કરવાની ભલામણ કરતાં બુધવારે ઉપરાજ્યપાલ પાસે મોકલી હતી.