વર્ષ 2012માં રાજધાની દિલ્હીમાં થયેલ નિર્ભયા ગેંગરેપ કાંડમાં આજે અંદાજિત સવા સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. નિર્ભયાના માતા-પિતાએ દીકરીને ન્યાય અપાવવાનો જંગ આખરે જીતી લીધો. લાંબા સમયથી કાયદા સાથે રમત રમતા નિર્ભયા દોષિતોને અંતે ફાંસીને માચડે લટકાવી દેવાયા છે. ચારેય દોષિતોને શુક્રવારે દિલ્હી તિહાર જેલમાં સવારે ફાંસીની સજા આપવામાં આવી છે.
આખરે નિર્ભયાને 7 વર્ષ બાદ મળ્યો ન્યાય
ચારેય દુષ્કર્મીઓને એકસાથે ફાંસી અપાઇ
તિહાર જેલમાં વહેલી સવારે ફાંસીની સજા અપાઇ
નિર્ભયા દુષ્કર્મ કેસ બાદ જે પરિણામની દેશ રાહ જોઈ રહ્યો હતો 7 વર્ષ બાદ આજે તેનો અંત આવી ગયો છે. આજે 20 માર્ચ, (શુક્રવાર) સવારે 5.30 વાગે નિર્ભયાના ચારેય ગુનેગારોને એક સાથે ફાંસીની સજા આપવામાં આવી છે. આ દરમિયાન અંદર લૉકડાઉન રહ્યું, પરંતુ તિહારની બહાર લોકોએ એક મોટી જીત વ્યક્ત કરી. ત્યારે, નિર્ભયના માતા-પિતાએ 20 માર્ચના દિવસને નિર્ભયા દિવસના રૂપમાં મનાવવાની વાત કરી.
2012 Delhi gang-rape case: All 4 death row convicts have been hanged at Tihar jail. pic.twitter.com/xOFJirPf8A
ગઇકાલે દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષિ મુકેશની અરજીને ફગાવી દીધી હતી. નિર્ભયના દોષિ મુકેશે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને 20 માર્ચ આજની ફાંસીના આદેશને પડકાર આપતા પોતાની ફાંસીની સજા રોકવા માંગ કરી હતી. ફાંસીના એક દિવસ પહેલા દોષિતોના વકીલે ફાંસી ટાળવા માટે અનેક પેંતરાબાજી કરી હતી પરંતુ કંઈ કામ ન આવ્યું. દોષિતોના વકીલ એ.પી.સિંહે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવી હતી. અંતે ચારેય નરાધમોને આજે(શુક્રવાર) વહેલી સવારે ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા છે.
ચારેય ગુનેગારોને મૃત જાહેર કરાયા
નિર્ભયાના ચારેય ગુનેગારોને ફાંસીએ અડધો કલાક લટકાવાયા, બાદમાં ડૉક્ટરોની ટીમે તપાસ કરીને ચારેય ગુનેગારોને મૃત જાહેર કર્યા છે. હવે તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે.
મહત્વનું છે કે, દિલ્હીમાં જ્યારે સવારે 5.30 વાગે નિર્ભયાના દોષિતોને ફાંસી અપાઈ ત્યારે તિહાર જેલની બહાર લોકોએ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી છે.
20 માર્ચને નિર્ભયા દિવસ તરીકે મનાવીશુંઃ નિર્ભયાની માતા
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 માર્ચને અમે નિર્ભયા દિવસ તરીકે મનાવીશું. આજનો દિવસ નિર્ભયા અને દેશની દીકરીઓના નામે છે. હું જૂડિશરી અને સરકારનો આભાર વ્યક્ત કરું છું.
મુકેશ-વિનયે રાત્રે ખાવાનું ખાધું, પવન-અક્ષયે ના ખાધું
તિહાર જેલમાં ફાંસીની તૈયારી ચાલી રહી છે. મુકેશ અને વિનયને રાત્રે ખાવાનું ખાધું હતું, પરંતુ પવન અને અક્ષયે નહોતું ખાધું. મુકેશના પરિવારે છેલ્લી વખત મુલાકાત કરી હતી. તિહારમાં ચારેય દોષિતો પર બહુ બારીકીથી નજર રાખવામાં આવી હતી. અલગથી 15 લોકોની ટીમ ખાસ તૈનાત કરવામાં આવી હતી. એક સેકેન્ડ પણ ચારેય દોષિતો પરથી નહોતું હટવાનું, આ ખાસ આદેશ સુરક્ષા અધિકારીઓને આપવામાં આવ્યા છે. ચારેય દોષિતોના પરિવારે એ નથી જણાવ્યું કે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઇશું કે નહીં. જો નહીં લે તો પોલીસ તંત્ર જેલ મેન્યૂઅલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરી નાખશે.
ફાંસી માટે 10 ફૂટનો તખ્તો તૈયાર કરાયો હતો
ડીએમની હાજરીમાં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાંસી માટે અંદાજિત 10 ફૂટનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ફાંસી બાદ અંદાજિત અડધા કલાક બોડી લટકી રહે છે. બાદમાં ડૉક્ટર ચેક કરે છે.
સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી
હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ગુનેગારોની અરજી ફગાવી હતી. જેને લઇને સવારે 5:30 વાગ્યે ફાંસી થશે. કોર્ટે દયા અરજીમાં રાષ્ટ્રપતિના નિર્ણયની સમીક્ષાના ઓછા ચાન્સ છે. સાથે જ બેંચે કહ્યું હતું કે, એક જ દલીલ વારંવાર કરવામાં આવી રહી છે, જેનો કોઈ આધાર નથી.
હાઈકોર્ટે કહ્યું હતું કે, તમારા ક્લાયન્ટનો ભગવાનને મળવાનો સમય નજીક
ગઇકાલે દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષિતાનો વકીલને કહ્યું હતું કે, તમારી પાસે કોઈ નક્કર કાયદાકીય દલીલ હોય તો કહો. સમય બરબાદ ન કરો. દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષિતોના વકીલ એ.પી સિંહને કહ્યું હતું કે તમારા ક્લાયન્ટનો ભગવાનને મળવાનો સમય નજીક છે. તમારી પાસે માત્ર 4-5 કલાક છે. મહત્વની દલીલ હોય તો આપો.
વકીલે કોરોનાનું બહાનું પણ આપ્યું હતું
ગઇકાલે હાઈકોર્ટે સુનાવણી શરૂ કરતી વખતે જ વકીલ પાસે ડૉક્યુમેન્ટ્સ માંગ્યા હતા ત્યારે વકીલે કહ્યું હતું કે કોરોનાને કારણે તમામ દુકાનો બંધ છે. કોઈ ફોટોકોપી મશીન કામ નથી કરતાં. જો કે આ બધી દલીલો પણ કામ લાગી ન હતી અને આખરે અરજી ફગાવી હતી.
પત્નીની છૂટાછેડાની અરજી કરી હતી પરંતુ ફાંસી ન ટળી
મહત્વનું છે કે, અક્ષયની પત્નીની છૂટાછેડાની અરજીથી પણ ફાંસી ટળી નહીં. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે મત રજૂ કર્યો હતો કે સિવિલ અને ક્રિમિનલ કેસ અલગ અલગ હોય છે. છૂટાછેડાનો કેસ સિવિલ કહેવાય છે અને ફાંસીનો કેસ ક્રિમિનલ કહેવાય છે. સિવિલ કેસની અસર ક્રિમીનલ કેસ પર પાડી શકાતી નથી.
તમને જણાવી દઈએ કે બિહારના ઔરંગાબાદની કોર્ટમાં અક્ષયની પત્નીએ અરજી કરીને તલાક માગ્યા હતા. બીજી તરફ ચારેય દોષિતના તમામ વિકલ્પો પૂર્ણ થઈ ચૂક્યા હતા. અગાઉ 3 ડેથ વોરંટ કેન્સલ થયા હતા. અને આ ચોથું ડેથ વોરંટ હતું. ડેથ વોરંટ પછીના 14 દિવસ પસાર થયા બાદ ફાંસી આપવામાં આવે છે. જે આજે પૂર્ણ થઈ ગયું છે.