નિર્ભયાના ચારેય ગુનેગારોમાંથી ત્રણ પાસે કાયદાકીય ઉપાયનો કોઈ વિકલ્પ રહ્યો નથી. ફક્ત પવન ગુપ્તા પાસે રાષ્ટ્રપતિ પાસેથી દયા અરજીનો વિકલ્પ બચ્યો છે. ફાંસીને ટાળવા માટે ગુનોગારો અનેક પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે વિનયે ફાંસી ટળે તે માટે વધુ એક પેંતરો અજમાવ્યો છે. ત્યારે શું ગુનેગારોના વકીલે ફાંસી નહીં થવાની વાત સાચી પડશે.
જેલની દિવાલ સાથે માથુ અથડાવી ઇજા પહોંચાડવાનો પ્રયાસ
16 ફેબ્રુઆરીના તિહાર જેલમાં બની ઘટના
16 ફેબ્રુઆરીએ તિહાર જેનાથી ફાંસી ટળી શકે છે
ફાંસી ટાળવા માટેના તમામ કાયદાકીય રસ્તા ત્રણ ગુનેગારો અપનાવી ચૂક્યાં છે. હજું પવન પાસે હજુ વિકલ્પ બાકી છે. ત્યારે ફાંસીથી બચવા માટે નિર્ભયાના આરોપી વિનયે આ પેંતરો અપનાવ્યો છે. 16 ફેબ્રુઆરીએ તિહાર જેનાથી ફાંસી ટળી શકે છે.
3 માર્ચના ચારેય ગુનેગારોને ફાંસી અપાશે
ફાંસીથી બચવા નિર્ભયાના ગુનેગારો જેલમાં પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ગુનેગાર વિનયે પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિનયે જેલની દિવાલ સાથે માથુ અથડાવી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વિનયને સામાન્ય ઇજા પહોંચી છે. આ કેસના ચારેય ગુનેગારોને ફાંસીની સજા મળી છે. ત્રીજી વખત ઈસ્યુ થયેલા ડેથ વોરન્ટમાં 3 માર્ચના ચારેય ગુનેગારોને ફાંસી અપાશે.
ફાંસી થોડાક સમય માટે ટળી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુનેગારો જો હિંસક વર્તન કરવા લાગે અને તેમને ઈજા થાય તો ફાંસી થોડાક સમય માટે ટળી શકે છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારો ઈજાગ્રસ્ત થાય તો વજન ઘટે છે. જેથી જ્યાં સુધી તે સાજા ન થાય ત્યાં સુધી ફાંસી ટળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુનેગારોને ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ ત્રીજુ ડેથ વોરન્ટ ઈસ્યુ કર્યું હતું.