દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોને ડેથ વોરંટ જાહેર કરવાની મનાઈ ફરમાવી છે. કોર્ટે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું આ સાથે કાયદામાં ગુનેગારોને જીવવાનો હક છે તો તેને ફાંસી આપવી પાપ ગણાશે.
પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ ઈસ્યુ કરવાની મનાઈ ફરમાવી
નિર્ભયા કેસનાં આરોપીઓને રાહત
શું નિર્ભયાના ગુનેગારોને ફાંસી નહી થાય?
ડેથ વોરંટની માંગણી કરવામાં આવી
દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં અરજી દાખલ કરી ડેથ વોરંટની માંગણી કરવામાં આવી હતી. જેથી નિર્ભયાના ગુનેગારોને જલ્દી ફાંસી આપી શકાય. કોર્ટમાં સુનવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલે એવી દલીલી કરી હતી કે, ‘ગુનેગારોની એક પણ અરજી પેન્ડિંગ નથી. જેથી નવું ડેથ વોરંટ જાહેર કરવા માટે કોર્ટ સ્વતંત્ર છે.
દલીલ પર કોર્ટે પૂછ્યું હતું કે ...
સરકારી વકીલની આ દલીલ પર કોર્ટે પૂછ્યું હતું કે શું એક ગુનેગારોની દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશન કરવાની બાકી છે? એવું કેવી રીતે માની લેવાય કે તે અરજી નહીં કરે? તેના જવાબમાં સરકારી વકીલે કહ્યુ હતું કે કોર્ટ અથવા તિહાર જેલ કોઈ પણ ગુનેગારને પિટિશન કરવા બાંધી ન શકે.
કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કરવાની ના પાડી દીધી
ઉલ્લેખનીય છે કે હજું પવન પાસે ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજી કરવાનો અધિકાર છે. તેમજ છતાં તેમના ડેથ વોરંટની માંગણી કરવામાં આવી હતી. તેનજ આ સિવાયનાં કોઈ પણ આરોપીની અરજી પેન્ડિંગ નથી. જોકે કોર્ટે આ અરજી અંગે અસહમતિ દર્શાવી પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કરવાની ના પાડી દીધી છે. સુનવણી દરમિયાન પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું કે,‘જ્યારે કાયદો ગુનેગારોને જીવવાનો હક આપે છે તો તેને ફાંસી આપવી પાપ છે.’