શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના ચાર દોષિતો માટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. 1 ફેબ્રુઆરીએ ચારેય દોષીઓને ફાંસી આપવા માટે ડેથ વોરંટ ઇસ્યુ કરાયું હતું. 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું નવું ડેથ વોરંટ
આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કેસમાં મુકેશની દયાની અરજી નામંજૂર કરી હતી. આપને જણાવી દઈએ કે પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોને ફાંસી આપવાની તારીખ 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે નક્કી કરી હતી. પરંતુ આ પછી દોષી મુકેશ સિંહ કોર્ટમાં પહોંચ્યો હતો.
નિર્ભયાના માતાનું નિવેદન
નોંધનીય છે કે, આ કેસમાં નવું ડેથ વોરંટ ઇશ્યૂ થયા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે જ્યાં સુધી ગુનેગારોને ફાંસી આપવામાં નહીં આવે ત્યાં સુધી મારી પુત્રીને ન્યાય નહીં મળે. મને છેલ્લા સાત વર્ષથી તારીખ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે નિર્ભયાના દોષી માનવોના અધિકાર બધે જોવા મળી રહ્યા છે. કોઈ પણ અમારા માનવાધિકાર પર ધ્યાન આપી રહ્યું નથી.
વિનય શર્માએ જેલમાં આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ
નિર્ભયા કેસનાં ગુનેગાર વિનય શર્માએ જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે બધાનાં મનમાં એક જ સવાલ છે કે આટલી કડક સુરક્ષાની વચ્ચે કેવી રીતે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો? વિનયે કઈ રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
ગુનેગારોનાં ચહેરા પર તણાવ વર્તાઈ રહ્યો છે
બીજી તરફ ગુરુવારે નિર્ભયાનાં ચારેય ગુનેગારોને ફાંસી ઘરથી નજીક આવેલ હાઈ સિક્યોરિટી સેલમાં કેમને શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. હવે આ ગુનેગારોનું નવું સરનામુ જેલ નં-3 બની ગયું છે. અત્યારે સુધી આ ગુનેગારો અલગ અલગ વોર્ડમાં બંધ હતાં. જેલ સૂત્રોનાં જણાવ્યાંનું સાર આ ગુનેગારોનાં ચહેરા પર તણાવ દેખાઈ રહ્યો છે.