તિહાર જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસનાં 4 ગુનેગારોને જેલ પ્રશાસને નોટિસ પકડાવીને તેમની અંતિમ ઇચ્છા શું છે તે પૂછી લીધું છે. ચારેય ગુનેગારોને ડેથ વોરંટ આપ્યાં બાદ તેમની પાછળ 50 હજારનો ખર્ચ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
મોતનો ડર આરોપીઓમાં જોવા મળ્યો
ચારેય આરોપીની અંતિમ ઈચ્છામાં તેઓ કોને મળવા માંગે છે
શું તેઓ ધાર્મિક પુસ્તકો વાંચવા માંગે છે
જેલ પ્રશાસને ચારેય ગુનેગારોને નોટિસ આપી કહ્યું છે કે, ૧ ફેબ્રુઆરીનાં રોજ તેમને ફાંસી આપવાનું નક્કી છે. સાથે સાથે પ્રશાસને ફાંસી અપાય તે પહેલાં તેમની અંતિમ ઈચ્છા શું છે. તેઓ છેલ્લી મુલાકાત કોની સાથે કરવા માંગે છે? એ પણ પુછી લીધું છે. પ્રશાસને તેમને તેમનાં નામે કોઈ પ્રોપર્ટી કે બેન્ક ખાતામાં નાણાં જમા હોય તો તેઓ કોને ટ્રાન્સફર કરવા માંગે છે તે નામ જણાવવા પૂછવામાં આવ્યું છે.
અંતિમ ઈચ્છા પુછવામાં આવી
આ ઉપરાંત તેઓ કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગે છે કે કોઈ ધર્મગુરુને બોલાવવા માગે છે? કેમ કે જો તેઓ ઈચ્છે તો તેમને ૧ ફેબ્રુઆરીનાં રોજ ફાંસી અપાય તે પહેલાં તેમની આ ઈચ્છા પૂરી કરી શકાશે.
મોતના ડરે ગુનેગારોએ જમવાનું છોડ્યું
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 4 ગુનેગારો પૈકી એક ગુનેગારે પોતાની જિંદગીનો અંત આવવાનો છે. એવા ડરથી ખાવાપીવાનું છોડી દીધું છે. બીજા અપરાધીએ ખાવાનું ઓછું કરી દીધું છે. પવનકુમારે પણ ખાવાનું ઓછું કરી નાખ્યું છે. તિહાર જેલમાં બંધ નિર્ભયાનાં આ ચારેય ગુનેગારોની સુરક્ષા પાછળ દર રોજનો રૂ.પ૦,૦૦૦નો ખર્ચ આવે છે. જે દિવસે કોર્ટે તેમને ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી કર્યાં હતાં. તે દિવસથી તેમની સુરક્ષા માટે ૩ર સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. સીસીટીવીની નજર હેઠળ તેમને રાખવામાં આવ્યાં છે.