નિર્ભયાના ગુનેગારોની ફાંસી હવે નક્કી છે. આવતી કાલે ગુનેગારોને સવારે 6 વાગે ફાંસી થવાની છે. ત્યારે ફાંસીથી બચવા માટે ગુનેગાર પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટિશન ફગાવી છે.
પવનની ક્યૂરેટીવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ત્યારે પવન પાસે હવે માત્ર દયા અરજીનો વિકલ્પ બાકી છે. તો બીજી એક અરજીમાં પટિયાલા હાઉસ કોર્ટમાં છે. જેનો ચુકાદો પટિયાલા હાઉસ કોર્ટે સુરક્ષિત રાખ્યો છે. ત્યારે હવે તમામની નજર પટિયાલા હાઉસ કોર્ટના ચુકાદા પર છે.
2012 Delhi gangrape case: One of the convict Pawan's curative petition has been dismissed by the Supreme Court. The petition had sought commutation of his death penalty to life imprisonment. pic.twitter.com/2KhruqyxVb
કોર્ટે કહ્યું કે તમામ અરજી અંતિમ સમયે જ કેમ કરો છો
ગુનેગારોના વકીલ વારંવાર ફાંસી નજીક હોય ત્યારે કોઈને કોઈ ગુનેગારની અરજી દાખલ કરી 2 વાર ઈસ્યૂ થયેલા ડેથ વોરન્ટને અટવી ચૂક્યાં છે. તેમણે ફરીથી ત્રીજા ડેથ વોરન્ટમાં નક્કી કરાયેલ 3 માર્ચની તારીખ નજીક હતી ત્યારે પવનની ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. ફાંસી રોકવાના કાયદાની આડમા કરવામાં આવતા પેંતરાને લઈને કોર્ટે સુનાવણી કરતી સમયે વકીલ એ.પી.સિંહને ફટકાર લગાવતા કહ્યું કે તમામ અરજી અંતિમ સમયે જ કેમ કરો છો.
પવન પાસે હવે માત્ર દયા અરજીનો વિકલ્પ બાકી
ઉલ્લેખનીય છે કે પવનના વકીલે પટિયાલા કોર્ટમાં ત્રીજા ડેથ વોરન્ટ રદ કરવાની માંગણી કરતી અરજી કરી છે. જેનાં પર અત્યારે તમામની નજર છે. ત્રણ ગુનેગારોની ક્યૂરેટીવ પિટિશન અને દયા અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જોકે પવન પાસે દયા અરજીનો વિકલ્પ બાકી છે. ત્યારે હજું પણ ફાંસી ટળી શકવાની શક્યતાઓ છે. જોકે હજું સુધી પટિયાલા કોર્ટમાં ડેથ વોરન્ટના સ્ટે પર કોઈ સુનવણી કરવામાં આવી નથી.
ન્યાયમૂર્તિ એન. વી રમણ, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ આર.એફ. નરીમન, ન્યાયમૂર્તિ આર ભાનુમતિ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની પીઠ ન્યાયમૂર્તિ રમણના ચેમ્બરમાં સુધારાત્મક પિટીશન પર સુનવણી કરી હતી.