નિર્ભયા કેસનાં ગુનેગાર વિનય શર્માએ જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે બધાનાં મનમાં એક જ સવાલ છે કે આટલી કડક સુરક્ષાની વચ્ચે કેવી રીતે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો? વિનયે કઈ રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
વિનય એટલો બધો બે બાકળો થયો છે કે તેને ઊંઘ નથી આવતી
જેલનાં સુરક્ષાકર્મીઓએ વિનયને બચાવી લીધો
વિનયનું ડૉકટરો દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવ્યું
વિનયનાં વકીલે કર્યો આ દાવો
વિનય દ્વારા ઉઠાવવામા આવેલા આ પગલાથી લોકોમાં ચર્ચા જાગી છે. નોંધનીય છે કે નિર્ભયાકાંડનાં એક ગુનેગાર વિનય શર્માએ સખત સુરક્ષા અને સીસીટીવીની કેદ વચ્ચે તિહાર જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે સમયસર તેને બચાવી લેવામાં આવ્યો. વિનય શર્માનાં વકીલ એપી સિંહે દાવો કર્યો છે કે બુધવારે સવારે તેણે આ ઘટનાને ઓપ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જેલમાં ફરજ પર હાજર સુરક્ષાકર્મીઓએ તેને બચાવી દીધો હતો. જોકે જેલરએ આવી કોઈ ઘટનાં બની હોવાનું નકારી દીધું હતું.
ડેથ વોરંટ બાદ વિનયની ઊંઘ ઉડી ગઈ હતી
ડેથ વોરંટ નીકળ્યા બાદ તિહાર જેલમાં બંધ નિર્ભયાનો ગુનેગાર વિનય ખૂબ બેચેન છે. તેની ઉંઘ ઉડી ગઈ છે અને તે ઘણીવાર પોતાનાં બેરેકમાં સતત ચાલ્યાં રાખે છે. તેની હાલત જોઈ જેલ અધિકારીઓએ સતત તેનું કાઉન્સેલિંગ કરાવી રહ્યાં છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે તે થોડો ગભરાયેલો છે પરંતુ જેલમાં તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ફંદાની ઉંચાઈ મેચ ન થતાં તે બચી ગયો
જેલ અધિકારીઓનાં જણાવ્યાનુંસાર તેને 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વિનય જેલ નં.4નાં સિંગલ રુમમાં હતો. ત્યારે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે શૌચાલયમાં કપડા અને ખેસનો ફંદો બનાવીને લટકી ગયો હતો, પરંતું ફંદાની ઉંચાઈ 5થી 6 ફીટની હોવાનાં કારણે તે લટકી શક્યો નહોતો. જેનાં કારણે તેનો જીવ બચી ગયો હતો.
ગુનેગારોનાં ચહેરા પર તણાવ વર્તાઈ રહ્યો છે
બીજી તરફ ગુરુવારે નિર્ભયાનાં ચારેય ગુનેગારોને ફાંસી ઘરથી નજીક આવેલ હાઈ સિક્યોરિટી સેલમાં કેમને શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. હવે આ ગુનેગારોનું નવું સરનામુ જેલ નં-3 બની ગયું છે. અત્યારે સુધી આ ગુનેગારો અલગ અલગ વોર્ડમાં બંધ હતાં. જેલ સૂત્રોનાં જણાવ્યાંનું સાર આ ગુનેગારોનાં ચહેરા પર તણાવ દેખાઈ રહ્યો છે.