નિર્ભયાનાં ગુનેગાર પવન ગુપ્તા, તેનાં વકીલ તથા તેનો પરિવાર સજામાંથી છટકવા અવનવા રસ્તા અપનાવી રહ્યાં છે. ફરી એકવાર પવન ગુપ્તાનાં પિતાએ નવો દાવ અજમાવ્યો હતો. તેઓ આ કેસના સાક્ષી પર ફરિયાદ કરવા માંગતા હતા. જાણો ફરી કયો નવો દાવ રમવાનો પ્રયાસ કર્યો હતો. શું પરિણામ આવ્યું તેમનાં નવા દાવનું...
પ્રત્યક્ષદર્શી પર પૈસા લઈ મીડિયા ઈન્યરવ્યુ આપવાનો આરોપ
મેજિસ્ટ્રેટ કોર્ટે 6 જાન્યુઆરીના ફગાવી હતી અરજી
નિર્ભયાના દોષિત પવનના પિતાની અરજીનો મામલો
નિર્ભયાનો બળાત્કાર અને હત્યાનાં કેસનાં એક માત્ર સાક્ષી સામે ફરિયાદ કરવા માંગણી કરતી અરજી સોમવારે અદાલતે ફગાવી દીધી હતી. નિર્ભયાનાં મુળ ગોરખપુર રહેનારા મિત્ર અને કેસનાં એક માત્ર સાક્ષી અવનીંદ્ર પર કેટલાક ગંભીર આરોપ હતા. જેમાં ગુનેગાર પવન ગુપ્તાનાં પિતા હીરાલાલ ગુપ્તાએ તેની સામે ફરિયાદ દાખવ કરાવવા માંગતા હતાં.
પ્રત્યક્ષદર્શી પર પૈસા લઈ નિવેદન આપવાનો આરોપ
ગુનેગાર પવન ગુપ્તાનાં પિતા હીરાલાલ ગુપ્તાએ અરજી દાખલ કરી આરોપ લગાવ્યાં હતા કે નિર્ભયાનાં મિત્ર તથા કેસનાં એક માત્ર સાક્ષીએ મીડિયા ચેનલોને પૈસા લઈને ઈન્ટર્વ્યુ આપ્યો છે. જેનાં કારણે તપાસ પર અસર પડી છે. પટિયાલા હાઉસ કોર્ટએ આ અરજી ફગાવી દીધી હતી.
ગુનેગારનો લુલો બચાવ કર્યો વકીલે
મેજિસ્ટ્રેટ સુધીર કુમાર સિરોહીએ કહ્યું કે આ અરજીમાં કોઈ એવો આધાર નથી. જેનાથી એવું કંઈ સાબિત થઈ શકે કે આ કારણોસર તપાસ પર કોઈ અસર પડી છે. એટલા માટે પોલીસને ફરિયાદ દાખલ કરવાનાં કોઈ આદેશ આપી શકાય નહીં. પવનના વકીલે એપી સિંહે કહ્યું કે યુવકનાં ઈન્ટરવ્યુથી એવું લાગતું હતું કે તે જાણે ગુનેગારોને ફાંસી પર લટકતો જોવા માંગે છે.
મેજિસ્ટ્રેટ કોર્ટે 6 જાન્યુઆરીના ફગાવી હતી અરજી
ઉલ્લેખનીય છે કે નિર્ભયાનાં ગુનેગાર પવનની પ્રત્યક્ષદર્શી પર FIR દાખલ કરવાની અરજી મેજિસ્ટ્રેટ કોર્ટે 6 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. એ બાદ પટિયાલા હાઉસ સેશન્સ કોર્ટમાં સુનાવણી સોમવારે સાંજે 4 વાગે કરવામાં આવશે.