નિર્ભયા ગેંગરેપ કેસના ચાર દોષિતોમાંથી એક વિનય શર્માએ ફાંસીની સજાને ઉંમરકેદમાં બદલવાની માંગ કરી છે. આ સંબંધમાં દોષિતના વકીલ એપી સિંહે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બેજલ સમક્ષ અરજી દાખલ કરી છે. દિલ્હીની એક કોર્ટે ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી પર ચઢવાનો આદેશ આપ્યો છે.
દોષિત વિનયે ફાંસીની સજાને બદલવાની માંગ કરી
દોષિતના વકીલે ઉપ રાજ્યપાલ અનિલ બેજલ સમક્ષ અરજી દાખલ કરી
દિલ્હીની એક કોર્ટે ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી પર ચઢવાનો આદેશ આપ્યો
આ પહેલા દોષિત પવન ગુપ્તાએ પણ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખળ કરી ફાંસીની સજાને ઉંમરકેદમાં બદલવાની માંગ કરી હતી. જેને બાદમાં ફગાવી દેવાઇ હતી.
જાણો, શું છે નિર્ભયા રેપ કેસ?
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર, 2012ની રાત્રે 23 વર્ષની પેરા મેડિકલની વિદ્યાર્થીની નિર્ભયાની સાથે ચાલતી બસમાં બર્બરતાથી સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ જઘન્ય ઘટના બાદ પીડિતાને સારવાર માટે સરકાર સિંગાપુર લઇ ગઇ, જ્યાં ઇલાજ દરમિયાન તેનું મોત થઇ ગયું હતું.
ગેંગ રેપની આ ભયાનક ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ચર્ચા થઇ હતી. જ્યારે નિર્ભયાના એક દોષિત રામ સિંહે કેસની સુનાવણી દરમિયાન જ આપઘાત કરી લીધો હતો.