રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે નિર્ભયા ગેગરેપ કેસના 4 ગુનેગારોને આજે ફાંસી થવાની હતી. જોકે વિનયની દયા અરજી કરી હતી જે પેન્ડિંગ હોવાથી ડેથ વોરંટ પર સ્ટે મુકવામાં આવ્યો હતો. જોકે રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દીધી હતી.
જલ્લાદને મેરઠ પરત મોકલાયો
માખણ લગાવેલાં દોરડાં લોકરમાં મૂકવામાં આવ્યાં
નિર્ભયાના પિતાનો રોષ ફાટ્યો કહ્યું, કેજરીવાલનાં કારણે ફાંસીમાં વિલંબ થઈ રહ્યો છે
રાષ્ટ્રપતિએ અરજી ફગાવી
નિર્ભયાનાં ગુનેગાર વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે વિનયની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે પહેલા જ ફગાવી દીધી હતી. તેની પાસે અત્યારે રાષ્ટ્રપતિની દયા અરજીને ફગાવી દેવાનાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ બાકી છે.
ફાંસીની રસ્સીને પાછી લોકરમાં મુકવામાં આવી છે
કોર્ટના નવા આદેશ સુધી નિર્ભયા ગેંગ રેપ-હત્યા કેસનાં ચાર ગુનેગારોને ફાંસી આપવામાં આવશે નહીં. આ આદેશ મળતાંની સાથે જ તિહાર જેલ પ્રશાસને ફાંસીની તમામ તૈયારી અટકાવી દીધી છે. મેરઠથી ખાસ બોલાવવામાં આવેલા જલ્લાદ પવનને પણ મેરઠ પરત મોકલી દેવામાં આવ્યો છે. ફાંસીની ફાઈનલ ટ્રાયલ બાદ દોરડાં પર માખણ લગાવીને તેને સુરક્ષિત રીતે લોકરમાં મૂકવામાં આવ્યાં છે.
અક્ષયને મળવા ઘરેથી કોઈ ન આવ્યું
તિહાર જેલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આજે વિનય સિવાયના ત્રણેય આરોપી પવન, અક્ષય અને મુકેશને ફાંસી આપવાની અન્ય તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ગુરુવારે આ ત્રણેયને તેમની અંતિમ મુલાકાત વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આ કારણે ગઈ કાલે શુક્રવારે અક્ષય સિવાય અન્ય બેનાં પરિવારજનો તેમને મળ્યાં પણ હતાં. કાલે અક્ષયને મળવા માટેનો સંભવિત છેલ્લો દિવસ હોવા છતાં તેનાં પરિવારજનોમાંથી કોઈ પણ આવ્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ ન થાય ત્યાં સુધી નિર્ભયા કેસના દોષિતોની ફાંસી પર સ્ટે મૂક્યો છે. આજે વહેલી સવારના છ વાગ્યે ચારેય ગુનેગારોને ફાંસી આપવાની હતી.
નિર્ભયાના પિતાના કેજરીવાલ પર પ્રહારો
નિર્ભયાના પિતા બદરીનાથસિંહે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નિર્ભયાના દોષીઓને ફાંસી આપવામાં વિલંબ થવા માટે ફક્ત અને ફક્ત સીએમ કેજરીવાલ જ જવાબદાર છે. નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે કેજરીવાલ મહિલાઓની સુરક્ષાના મુદ્દે મોટા દાવા કરીને દિલ્હીમાં સત્તા પર આવ્યા હતા. આજે તેમણે નિર્ભયાને ન્યાય અપાવવા માટે મોટી રમત રમી છે. જેલ પ્રશાસન તેમના હાથમાં છે, પરંતુ તેમણે ચાર કલાક સુધી જજ સાથે એવી તો શું વાત કરી કે માત્ર એક મિનિટમાં એવું કહી દેવામાં આવ્યું કે ફાંસી મુલતવી રાખવામાં આવી છે.