નિર્ભયા કેસના દોષિત પવનની ફાંસીથી બચવા માટેનો એક વધુ દાવ નિષ્ફળ ગયો છે. આજરોજ સુપ્રીમ કોર્ટે દોષિત પવનની ક્યૂરેટિવ અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં તે ઘટનાના સમયે તે સગીર હોવાનું જણાવ્યું હતું. પવનની આ અરજી હાઇકોર્ટમાં પણ નામંજૂર થઇ હતી. ત્યારબાદ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
નિર્ભયાના દોષિત પવનને સુપ્રીમ કોર્ટથી ઝટકો
સુપ્રીમ કોર્ટે પવનની ક્યૂરેટિવ અરજી ફગાવી
ઇનચેમ્બર સુનાવણીમાં 6 જજની બેંચનો નિર્ણય
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં હાઇકોર્ટેના ચુકાદાને પડકારવાનો દાવો કરવામાં આવ્યો કે તેની અરજી પર યોગ્ય સુનાવણી કરવામાં આવી નહીં અને અરજીને ફગાવી દેવામાં આવી.
Supreme Court dismisses the curative petition of one of the convicts in the 2012 Delhi gang-rape and murder case, Pawan Gupta, against the dismissal of his review plea rejecting his juvenility claim. pic.twitter.com/hSvHh4Hg8y
આ સાથે જ નિર્ભયાના દોષિઓ તરફથી ફાંસીથી બચવા માટેનો એક પેંતરો ફરી નિષ્ફળ ગયો છે. જો કે આ અરજી સાથે ફાંસી ટાળવા માટે એ પણ તર્ક આપવામાં આવ્યો છે કે દોષી વિનય, પવન અને અક્ષય તરફથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર સુનાવણી બાકી છે, જેના કારણે 20 માર્ચના રોજ સવારે થવાની ફાંસની સજા પર રોક લગાવામાં આવે.
પવનની તરફથી મંગળવારના રોજ ફરી સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન અરદી દાખલ કરવામાં આવી હતી. પવન તરથી જણાવામાં આવ્યું હતું કે આ ઘટના સમયે તે સગીર હતો, જેને લઇને તેની ફાંસીની સજા રોકી દેવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે તેની સગીર હોવાની દલીલ પહેલા જ ફગાવી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટમાં એક વાર ફરી ઝટકો લાગ્યા બાદ પવનને વકીલ એપી સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે, હાઇકોર્ટમાં બધા કામ બંધ છે, પરંતુ એમ નથી થઇ રહ્યું કે ફાંસીની સજા પર રોક લગાવામાં આવે. આ ઘણી દુઃખદ વાત છે.