નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં ચાર દોષિતોમાંથી એક મુકેશ સિંહે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેને કોર્ટે ફગાવી દીધી છે. મુકેશ સિંહે દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2012માં થયેલી ઘટના સમયે તે દિલ્હીમાં હાજર નહોતો.
નિર્ભયાના દોષિત મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે રેકોર્ડની ફરી તપાસની માગ ફગાવી દીધી છે. દોષિત મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે મારી સાથે નિષ્પક્ષ ન્યાય નથી થયો. ઘટના સમયે હું દિલ્લીમાં નહીં રાજસ્થાનમાં હતો.
નિર્ભયા રેપ કેસમાં 20 માર્ચે દોષિતોને થનારી ફાંસીનો રસ્તો સાફ થઇ ગયો છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોના ડેથ વોરન્ટ પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો છે. કોર્ટે આ બાબત દાખલ અરજીને ફગાવી દીધી છે.
આ ઉપરાંત દોષિત મુકેશે DNA-આયરન રોડ બંન્ને થિયરી પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત દોષિત મુકેશે દસ્તાવેજ, રેકોર્ડ, રિપોર્ટની CBIની તપાસની પણ માગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસ ચાલ્યો, HC અને SCએ તમામ વાતો સાંભળી. રાષ્ટ્રપતિએ પણ દયા અરજી ફગાવી દીધી છે. હવે રેકોર્ડની ફરી તપાસનો કોઇ મતલબ નથી.
દોષિત પવનની અરજી પણ ફગાવી
નિર્ભયા કેસના દોષિત પવનની ફાંસીથી બચવા માટેનો એક વધુ દાવ નિષ્ફળ ગયો છે. આજરોજ સુપ્રીમ કોર્ટે દોષિત પવનની ક્યૂરેટિવ અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં તે ઘટનાના સમયે તે સગીર હોવાનું જણાવ્યું હતું. પવનની આ અરજી હાઇકોર્ટમાં પણ નામંજૂર થઇ હતી. ત્યારબાદ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પવનની તરફથી મંગળવારના રોજ ફરી સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન અરજી દાખલ કરવામાં આવી હતી. પવન તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના સમયે તે સગીર હતો, જેને લઇને તેની ફાંસીની સજા રોકી દેવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે તેની સગીર હોવાની દલીલ પહેલા જ ફગાવી ચૂકી છે.
નિર્ભયા કેસ પર વરિષ્ઠ વકિલ ઉજ્જવલ નિકમે મત રજૂ કર્યો
નિર્ભયા દુષ્કર્મ કેસ બાદ જે પરિણામની દેશ રાહ જોઈ રહ્યો છે. તેનો શુક્રવારે અંત આવી શકે છે. શુક્રવારે સવારે 5.30 વાગે નિર્ભયાના 4 ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવશે. અક્ષયની પત્નીની છૂટાછેડાની અરજીથી પણ ફાંસી નહી ટળે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે મત રજૂ કર્યો છે કે સિવિલ અને ક્રિમિનલ કેસ અલગ અલગ હોય છે. છૂટાછેડાનો કેસ સિવિલ કહેવાય છે અને ફાંસીનો કેસ ક્રિમિનલ કહેવાય છે.
સિવિલ કેસની અસર ક્રિમીનલ કેસ પર પાડી શકાતી નથી. તમને જણાવી દઈએ કે બિહારના ઔરંગાબાદની કોર્ટમાં અક્ષયની પત્નીએ અરજી કરીને તલાક માગ્યા છે. બીજી તરફ ચારેય દોષિતના તમામ વિકલ્પો પૂર્ણ થઈ ચૂક્યા છે. અગાઉ 3 ડેથ વોરંટ કેન્સલ થયા હતા. અને આ ચોથું ડેથ વોરંટ છે. ડેથ વોરંટ પછીના 14 દિવસ પસાર થયા બાદ ફાંસી આપવામાં આવે છે. જે આજે પૂર્ણ થઈ ગયા છે. ગુનાગારો તરફથી આજે પણ કોઈ પિટીશન થાય તો પણ ફાંસી ટળી શકશે નહીં. એટલું જ નહીં તિહાર જેલમાં ડમીને ફાંસી આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. એટલે કે જેલ તંત્ર પણ ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે તૈયાર છે.